ભારે વરસાદની સંભાવના, સંભવિત વિસ્તારોમાંથી નાગરિકો અને પશુઓનું સ્થળાંતર કરવા સૂચના
રાજ્યભરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 ઓગસ્ટ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં રેસ્ક્યુ અને મેડિકલ ટીમને સજ્જ રહેવા, કર્મચારીઓની રજાઓ રદ કરવા, નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકો તેમજ પશુધનના સ્થળાંતર કરવા, શેલ્ટર હોમ્સમાં સુવિધાઓનો સ્ટોક તૈયાર રાખવા અને કટોકટી માટે સંસાધનો તૈનાત કરવા આદેશ અપાયો.
ભારે વરસાદની સંભાવના, સંભવિત વિસ્તારોમાંથી નાગરિકો અને પશુઓનું સ્થળાંતર કરવા સૂચના
IMD એલર્ટ: મુંબઈ સહિત કોસ્ટલ વિસ્તારોમાં 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલ આગામી 4 દિવસના હવામાન અનુમાન મુજબ, મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં આગામી બે દિવસ વરસાદ યથાવત રહેશે. 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી છે, જેમાં કેટલીક જગ્યાએ પવનની ઝડપ 70 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. 1 ઓગસ્ટે વરસાદ ઘટશે, જ્યારે 2 અને 3 ઓગસ્ટે મધ્યમ વરસાદની શક્યતા છે. નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
IMD એલર્ટ: મુંબઈ સહિત કોસ્ટલ વિસ્તારોમાં 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે
જુલાઈમાં 10 વર્ષમાં ત્રીજી વાર ડબલ ડિજિટ વરસાદ, નવા રાઉન્ડની શક્યતા
મોરબી જિલ્લામાં જૂન મહિનામાં વરસાદના અભાવ બાદ જુલાઈમાં સારા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. સમગ્ર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી જળાશયો છલકાયા છે. જુલાઈ મહિનાનો સરેરાશ વરસાદ 279 મીમી (11.16 ઇંચ) નોંધાયો છે, જે છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત જુલાઈમાં ડબલ ડિજિટ વરસાદ છે. સામાન્ય રીતે જુલાઈમાં ઓછો વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાઈ છે. અગાઉ 2017 અને 2022માં પણ જુલાઈમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જુલાઈમાં 10 વર્ષમાં ત્રીજી વાર ડબલ ડિજિટ વરસાદ, નવા રાઉન્ડની શક્યતા
અમદાવાદ-સુરતમાં રેડ એલર્ટ, ખડગેના મનુસ્મૃતિ નિવેદનથી હોબાળો, હોકી ટીમની જર્સી પર વિવાદ
રાજ્યમાં અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર થયું છે, શાળા-કોલેજોમાં રજા અને અધિકારીઓની રજા રદ કરાઈ છે. મલ્લિકાર્જુન ખડગેના મનુસ્મૃતિવાળા નિવેદનથી રાજ્યસભામાં હોબાળો થયો છે, જેના પર સંસદીય કાર્યવાહી બાદ સ્પષ્ટતા કરવામાં આવી. ભારતીય હોકી ટીમની નારંગી જર્સીના રંગ પર વિવાદ સર્જાયો છે, જેના પર ખેલાડીઓની પસંદગી અને ટીમના ભૂતપૂર્વ કેપ્ટનના મંતવ્યો સામે આવ્યા છે. સંસદમાં પેપર લીક સંબંધિત સુધારા વિધેયક રાજ્યસભામાંથી પણ પસાર થયું છે.
અમદાવાદ-સુરતમાં રેડ એલર્ટ, ખડગેના મનુસ્મૃતિ નિવેદનથી હોબાળો, હોકી ટીમની જર્સી પર વિવાદ
દાહોદ-દે.બારીઆમાં NDRF અને SDRF ની બે ટીમો તૈનાત, ભારે વરસાદની આગાહી
દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને હવામાન વિભાગની ચેતવણીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી, જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરી. દાહોદ અને દેવગઢ બારીઆમાં NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો મામલતદાર અને કલેક્ટરના આદેશ મુજબ રેસ્કયુ કામગીરી કરશે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે.
દાહોદ-દે.બારીઆમાં NDRF અને SDRF ની બે ટીમો તૈનાત, ભારે વરસાદની આગાહી
ગોધરા: પંચમહાલમાં ભારે વરસાદની આગાહી, તંત્ર ઓરેન્જ એલર્ટ પર
હવામાન વિભાગે પંચમહાલ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. SDRFની બે અને NDRFની એક ટીમ ફ્લ્ડિમાં તૈનાત કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી છે. ઈમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે અને તમામ વિભાગો સતર્ક છે. ગોધરા અને શહેરા તાલુકામાં પણ સર્વેક્ષણ કરાયું છે.
ગોધરા: પંચમહાલમાં ભારે વરસાદની આગાહી, તંત્ર ઓરેન્જ એલર્ટ પર
રાજપીપળામાં વરસાદી ઋતુમાં બિનઆરોગ્યપ્રદ 27 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
રાજપીપળામાં વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચકાસણી અભિયાન હાથ ધરાયું. આ અભિયાન હેઠળ 30 જેટલા ખાણીપીણીના સ્ટોલ અને લારીઓની તપાસ કરવામાં આવી. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ખોરાક વેચવાની સૂચનાઓ અપાઈ. તપાસ દરમિયાન, અસ્વચ્છ અને માનવ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલી 27 કિલોગ્રામથી વધુ ખાદ્ય સામગ્રી, જેમાં બટાકાનો માવો, મન્ચુરિયન બોલ્સ, મન્ચુરિયનનો લોટ, પાણીપૂરીનું પાણી અને કૃત્રિમ રંગના પેકેટનો સમાવેશ થાય છે, તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
રાજપીપળામાં વરસાદી ઋતુમાં બિનઆરોગ્યપ્રદ 27 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
ગુજરાતના ૧૩ જિલ્લામાં રેડ એલર્ટ: ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજોમાં રજા
હવામાન વિભાગે 31 જુલાઈએ રાજ્યના 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધશે.
ગુજરાતના ૧૩ જિલ્લામાં રેડ એલર્ટ: ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજોમાં રજા
દેશભરમાં ભારે વરસાદ, પૂર અને ભુસ્ખલનથી અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત
દેશભરમાં ચોમાસાની આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ, પૂર અને ભુસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેદારનાથ યાત્રા સ્થગિત કરવી પડી છે, જ્યારે અસમમાં મૃત્યુઆંક વધીને 78 પર પહોંચ્યો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભુસ્ખલન અને ઓડિશાના ભદ્રકમાં લાખો લોકો પૂરની અસરમાં છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી રાખી છે.
દેશભરમાં ભારે વરસાદ, પૂર અને ભુસ્ખલનથી અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત
ભારે વરસાદની આગાહીન લિધે અધિકારીઓની રજાઓ રદ
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની 'રેડ એલર્ટ'ની આગાહી કરવામાં આવી છે. આ ભયાવહ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. સમગ્ર તંત્રને 24 કલાક હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને NDRF-SDRFની ટીમો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીન લિધે અધિકારીઓની રજાઓ રદ
ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ જાનમાલના રક્ષણ માટે વ્યાપક તૈયારીઓ સાથે હાઇ ઍલર્ટ પર છે. રાજ્યના પોલીસ વડાએ ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજી તમામ અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપી છે. 'ઇવેક્યુએશન પ્લાન' અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં NDRF, SDRF અને સ્થાનિક પોલીસ સંકલનમાં કામ કરશે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકો અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને કામગીરી હાથ ધરાઈ છે.
ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર
ભારે વરસાદ, વીજળી પડવી જેવી કુદરતી આપત્તિથી બચવા આટલું ખાસ ધ્યાન રાખવું
ચોમાસામાં ભારે વરસાદ અને વીજળી પડવાના જોખમથી બચવા માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાતો દ્વારા મહત્વની સલાહ આપવામાં આવી છે. વીજળીની પૂર્વચેતવણી માટે 'દામિની એપ' (Damini App) ડાઉનલોડ કરો. જરૂર પડ્યે હેલ્પલાઇન નંબર 108, 1070/1077 પર સંપર્ક કરો. અતિ ભારે વરસાદ અને વીજળી દરમિયાન ઘરની અંદર અને બહાર રાખવાની સાવધાનીઓ, પશુધનની સુરક્ષા અને તાત્કાલિક સૂચનાઓ માટે 'સચેત (SACHET)' એપ ખૂબ ઉપયોગી છે.
ભારે વરસાદ, વીજળી પડવી જેવી કુદરતી આપત્તિથી બચવા આટલું ખાસ ધ્યાન રાખવું
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે. આર્મી, નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ
પંચમહાલમાં આગામી શનિવાર સુધી ભારે વરસાદની આગાહી
પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 30મી જુલાઈની રાતથી 1લી ઓગસ્ટની સવાર સુધી ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ ઍલર્ટ જાહેર થયું છે. આફતને પહોંચી વળવા NDRFની 1 અને SDRFની 2 ટીમો તહેનાત કરાઈ છે. DEOC 24 કલાક કાર્યરત છે અને તમામ સરકારી વિભાગો હાઈ ઍલર્ટ પર છે. નીચાણવાળા વિસ્તારો પર નજર રાખી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાશે. પાવાગઢમાં પણ સુરક્ષાના પગલાં લેવાશે, જરૂર પડ્યે પગથિયાં બંધ કરાશે. કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વહેતા પાણીમાં વાહન ન ચલાવે અને સુરક્ષિત રહે.
પંચમહાલમાં આગામી શનિવાર સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદ-વડોદરામાં ભારે વરસાદની રેડ ઍલર્ટ
હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે, 31મી જુલાઈ 2026ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખી રજા જાહેર કરાઈ છે. આ આદેશ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ શાળાઓ, તેમજ કોલેજોને લાગુ પડશે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ, સ્કૂલો અને કોલેજોમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે રજા જાહેર કરાઈ છે.
અમદાવાદ-વડોદરામાં ભારે વરસાદની રેડ ઍલર્ટ
ભારે વરસાદની આગાહી ના પગલે આવતીકાલે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
તારીખ 31 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો તંત્ર નિર્ણય લીધો છે.મળતી જાણકારી અનુસાર જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે આ આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી પણ કરવાની ચીમકી આપી છે.આ પહેલા પણ ભારે વરસાદની આગાહીના કારણે ગત સપ્તાહે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો બે દિવસ બંધ રાખવામાં આવી હતી.
ભારે વરસાદની આગાહી ના પગલે આવતીકાલે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતના 6 જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે 6 જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં અચાનક વાતાવરણ પલટાશે. રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તંત્ર સાવચેત થયું છે અને લોકોને સુરક્ષિત રહેવાની સૂચના અપાઈ છે. ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે.
ગુજરાતના 6 જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી
૨૨ રાજ્યોમાં ધોધમાર વરસાદની ચેતવણી
ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ૨૨ રાજ્યોમાં આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસું વધુ સક્રિય રહેશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, બિહાર, ઓડિશા અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા પર અસર થઈ છે. દિલ્હી-NCR માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે.
૨૨ રાજ્યોમાં ધોધમાર વરસાદની ચેતવણી
આસામમાં ભીષણ પૂર: 75 લોકોના મોત
આસામ રાજ્યમાં અવિરત મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી ભીષણ પૂરની પરિસ્થિતિમાં મૃત્યુઆંક વધીને 75 થયો છે. આ પૂરમાં સવા ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે ઓડિશાના પાંચ જિલ્લાઓમાં બે લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. NDRF, SDRF અને સેનાની ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડીને રાહત કેમ્પોમાં આશરો અપાયો છે. સરકારે મૃતકોના પરિવારોને આર્થિક સહાય અને બેઘર થયેલા લોકો માટે પુનર્વસન પેકેજની જાહેરાત કરી છે.
આસામમાં ભીષણ પૂર: 75 લોકોના મોત
ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં હવામાન વિભાગ (IMD) દ્વારા 7 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ છે. જોખમી માળખાં દૂર કરવા, જર્જરિત મકાનોમાંથી સ્થળાંતર અને રાહત-બચાવ ટુકડીઓને સજ્જ રાખવા જેવા પગલાં લેવા આદેશ અપાયો છે.
ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
અમદાવાદમાં વહેલી સવારે 2.6 તીવ્રતાનો ભૂકંપ
અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) મુજબ, 30 જુલાઈના રોજ સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં 20 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી તીવ્રતાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવી ધ્રુજારીનો અનુભવ થયો હતો.
અમદાવાદમાં વહેલી સવારે 2.6 તીવ્રતાનો ભૂકંપ
વલસાડમાં મેઘતાંડવના લીધે અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. છરવાડા, ધરાસણા, કરદીવા, ભાગલ જેવા ગામોમાં મીઠાના અગરો પાણીમાં ગરકાવ થતાં તૈયાર થયેલો લાખો ટન મીઠો ધોવાઈ ગયો છે. આ કુદરતી આફતથી મીઠા ઉત્પાદકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને હજારો અગરિયા પરિવારોના રોજગારી તથા જીવનનિર્વાહ પર ગંભીર સંકટ ઊભું થયું છે. રાજ્યના મહત્વના મીઠા ઉત્પાદન ક્ષેત્રમાં આ વર્ષે થયેલ વિનાશ અગરીયાઓની આખા વર્ષની કમાણીને રેલમાં તણાઈ ગઈ છે.
વલસાડમાં મેઘતાંડવના લીધે અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ
વલસાડમાં પૂરન લીધે છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ
વલસાડ શહેરમાં વિનાશક પૂરે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાઈ જતાં સ્મશાનનો માર્ગ બંધ છે. આ કારણે મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્વજનોને તિથલ સ્મશાન સુધી જવું પડે છે, જે એક દુઃખદ અને સંવેદનશીલ પરિસ્થિતિ છે. 23મી જુલાઈથી અત્યાર સુધીમાં તિથલ સ્મશાનમાં 25થી વધુ મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ છે. સ્થાનિકોએ ગરનાળાની મરામતની તાત્કાલિક માગ કરી છે.
વલસાડમાં પૂરન લીધે છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ
સુરત ખાડી પૂરના કાયમી ઉકેલ માટે અત્યાધુનિક ડ્રોન સર્વે શરૂ
સુરતમાં ચોમાસામાં વારંવાર ખાડીનું પાણી શહેરમાં ભરાઈ જવાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે તંત્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખાડીનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. હાઈટેક ડ્રોન સર્વે દ્વારા ખાડીના ભૌગોલિક અને હાઇડ્રોલોજિકલ ડેટા એકત્ર કરાશે. LiDAR સર્વેથી ખાડીની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ જેવી વિગતો મેળવી, 3D હાઈડ્રોલોજી મેથેમેટિકલ મોડેલ તૈયાર કરાશે. આ ડેટાના આધારે ક્યાં ખાડી પહોળી કરવી, ડી-સિલ્ટિંગ કરવું, કે પ્રોટેક્શન વોલ બનાવવી જેવી કામગીરી નક્કી કરાશે.
સુરત ખાડી પૂરના કાયમી ઉકેલ માટે અત્યાધુનિક ડ્રોન સર્વે શરૂ
ગુજરાતમાં 31 જુલાઇએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, પૂરના સંકટ અંગે તંત્ર સજ્જ
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહીને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, સુરત સહિત 8 જિલ્લાઓમાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાને રાખીને ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહીને બચાવ કામગીરી માટે સાધનો અને ટીમોનું મેપિંગ કરવા સૂચના અપાઈ છે. 31 જુલાઇએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં 31 જુલાઇએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, પૂરના સંકટ અંગે તંત્ર સજ્જ
ગુજરાતના 8 જિલ્લામાં 31 જુલાઈએ અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ
હવામાન વિભાગે 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ ઍલર્ટ રહેશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 1 ઑગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટ રહેશે. ભારે પવન અને વરસાદને કારણે થતા નુકસાન અટકાવવા હોર્ડિંગ્સ અને જર્જરિત બિલ્ડિંગો હટાવવા સૂચના અપાઈ છે. કાચા મકાનો અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ખાસ ધ્યાન અપાશે. નાગરિકોની સુરક્ષા માટે NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી સજ્જ છે.
ગુજરાતના 8 જિલ્લામાં 31 જુલાઈએ અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ
અમદાવાદ પ્લેન ક્રેશમાં સરકારનો ખુલાસો: "ફ્યુલ કન્ટ્રોલ સ્વિચમાં ખામી નહોતી"
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. સંસદમાં સરકારે જણાવ્યું કે ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી મળી નથી. જોકે, થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ અમેરિકામાં ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે મોટા વિમાન અકસ્માતોની તપાસમાં કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી હોતી. AAIBના રિપોર્ટમાં વિલંબ નથી. સુપ્રીમ કોર્ટે પણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માહિતી ગોપનીય રાખવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં સરકારનો ખુલાસો: "ફ્યુલ કન્ટ્રોલ સ્વિચમાં ખામી નહોતી"
ભિલાડના બોરલાઇમાં પૂરથી 70 પશુઓના મોત
વલસાડના બોરલાઇ ગામમાં પૂરના કારણે તબેલામાં બાંધેલી 80 ભેંસો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટી હતી. પશુ માલિકની બેદરકારીને કારણે મૃત પશુઓને વાડીમાં ખાડો ખોદી દાટી દેવાયા હતા. હવે મૃતદેહોમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધને કારણે ગામલોકો પરેશાન છે અને આરોગ્ય જોખમમાં મુકાયું છે. સ્થાનિક તંત્રએ હવે મૃત પશુઓના યોગ્ય દફન માટે કવાયત હાથ ધરી છે.
ભિલાડના બોરલાઇમાં પૂરથી 70 પશુઓના મોત
વરસાદ બાદ રસ્તા સમારકામ શરૂ, પરંતુ કામગીરી પર સવાલો ઊભા થયા
વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતાં મ્યુનિસિપલ કોર્પોરેશને ખખડધજ રોડ-રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનરે સ્થળ મુલાકાત લઈ પેચવર્ક અને સમારકામનું નિરીક્ષણ કર્યું. જોકે, દર ચોમાસે એકસરખી સ્થિતિ સર્જાતી હોવા છતાં માત્ર સમારકામથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તેવી ચર્ચા વચ્ચે તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. રસ્તાની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ નાગરિકો આ દાવા સાથે સહમત નથી.
વરસાદ બાદ રસ્તા સમારકામ શરૂ, પરંતુ કામગીરી પર સવાલો ઊભા થયા
સુરતવાસીઓનો આક્રોશ: ખાડી પૂરનું કાયમી નિવારણ કરો, નહીંતર જંતર મંતર આંદોલન
સુરતના પરવત પાટિયાના રહેવાસીઓ વર્ષોથી ચોમાસામાં ખાડી પૂરનો ભોગ બની રહ્યા છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થાય છે. દર વર્ષે તંત્ર માત્ર સમિતિઓ રચીને બેસી રહે છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવતું નથી. સરકાર સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરે છે, પરંતુ સુરતની ખાડીનું પાણી રોકવામાં કેમ નિષ્ફળ જાય છે તેવો સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ જંતર-મંતર જેવા મોટા આંદોલન માટે તૈયાર છે.
સુરતવાસીઓનો આક્રોશ: ખાડી પૂરનું કાયમી નિવારણ કરો, નહીંતર જંતર મંતર આંદોલન
ઓડિશામાં પૂરનો ભયાવહ કહેર: ૧ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
આસામ અને ગુજરાત બાદ હવે ઓડિશા ભારે વરસાદ અને પૂરમાં સપડાયું છે. ઉત્તરપૂર્વીય જિલ્લાઓમાં નદીઓનું સ્તર વધતાં ૧ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. બાલાસોર, ભદ્રક અને જાજપુર જેવા જિલ્લાઓમાં આગામી ૨૪ કલાક અત્યંત મહત્વપૂર્ણ છે. સુરક્ષા કારણોસર શાળાઓ બંધ કરાઈ છે અને રાહત શિબિરો સ્થાપવામાં આવી છે. આસામમાં ૭૫ લોકોના મોત અને ૩.૩૨ લાખ લોકો પ્રભાવિત છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે ૧૦૮ રસ્તાઓ બંધ છે.