ચીનમાં ભૂસ્ખલન અને પૂર: 21 મોત, 800થી વધુ સાપ રહેણાંક વિસ્તારોમાં
ચીનમાં ભૂસ્ખલન અને પૂર: 21 મોત, 800થી વધુ સાપ રહેણાંક વિસ્તારોમાં
Published on: 08th July, 2026

ચીનમાં કુદરતી આફતોનો કહેર યથાવત છે. ઉત્તર-પશ્ચિમ ચીનમાં ભીષણ ભૂસ્ખલનને કારણે 21 લોકોના દર્દનાક મોત થયા છે. બીજી તરફ, ગુઆંગ્શી વિસ્તારમાં પૂરના પાણી સાથે 800થી વધુ ખતરનાક સાપ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ટાયફૂન 'માયસેક'ના કારણે આવેલા પૂરથી હેંગઝોઉના એક ગામમાં સ્નેક ફાર્મ ડૂબી જતાં આ સાપ બહાર આવી ગયા હતા. વહીવટીતંત્ર પૂર અને સાપ બંનેના ખતરા સામે ઝઝૂમી રહ્યું છે.