નેપાળ પૂરમાં 29 ગુજરાતી હજુ સંપર્કવિહોણા
નેપાળ પૂરમાં 29 ગુજરાતી હજુ સંપર્કવિહોણા
Published on: 06th September, 2026

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના 29 નાગરિકો હજુ સંપર્કવિહોણા છે. જોકે, એક ગુજરાતી સાધુ સલામત હોવાનો સંદેશ મળ્યો છે. આ કુદરતી હોનારતમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. નેપાળમાં યાત્રા પર ગયેલા ગુમ યાત્રીકોની માહિતી એકત્ર કરી તેમના પરિવારજનોના DNA સેમ્પલ લેવાઈ રહ્યા છે, જે નેપાળ સરકારને મોકલવામાં આવશે. આ માટે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે.