નેપાળમાં 300 કિ.મી./કલાકની ગતિએ આવેલા પૂરે સર્જી તારાજી
નેપાળમાં 300 કિ.મી./કલાકની ગતિએ આવેલા પૂરે સર્જી તારાજી
Published on: 31st August, 2026

નેપાળ-તિબેટ સરહદેથી આવેલા ફ્લેશ ફ્લડે ભારે વિનાશ સર્જ્યો છે, જેમાં મૃત્યુઆંક ૮૦૦ નજીક પહોંચ્યો છે અને ૩૦૦૦ લોકો લાપતા છે. વૈજ્ઞાનિકોના મતે, નેપાળમાં હિમ શિખર તૂટી પડતાં પાણીનો પ્રવાહ પ્રતિ કલાક ૩૦૦ કિ.મી.ની ગતિએ ખીણમાં ત્રાટક્યો હતો. આ ઘટનાને કારણે નવા ત્રણ સરોવરો રચાયા છે, જેનાથી ભવિષ્યમાં વધુ એક પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ ઘટાડવા માટે સરોવરમાંથી પાણી નિયંત્રિત રીતે ઘટાડવાનો એકમાત્ર વિકલ્પ છે.