એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-415: ટેક-ઓફ બાદ એન્જિન ફેલ
કોચીથી અબુ ધાબી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-415 માં ટેકનિકલ ખામી સર્જાતાં તાત્કાલિક કોચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઇટ ટેકઓફ થયાના લગભગ 50 મિનિટ બાદ બોઇંગ 737 પ્લેનના એન્જિન નંબર 1 માં તેલનું સ્તર ઝડપથી ઘટી ગયું અને તેમાંથી બળતણ લીક થતું જોવા મળ્યું. પરિસ્થિતિ ગંભીર બનતા પાયલોટે 'FORDEC' પ્રોટોકોલ લાગુ કરી અસરગ્રસ્ત એન્જિન બંધ કર્યું અને ફ્લાઇટને કોચી પર સુરક્ષિત રીતે ઉતારી.
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-415: ટેક-ઓફ બાદ એન્જિન ફેલ
PM મોદીના મુંબઈ કાર્યક્રમ પહેલા બે શંકાસ્પદ ઝડપાયા, PMOનું નકલી ID અને ગન સાથે મળ્યા
મુંબઈમાં PM Modi ના કાર્યક્રમ પહેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતેથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. એક શખ્સ, જેની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે, તેણે પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી ગણાવ્યો હતો. તેની પાસે PMOનું નકલી ID કાર્ડ અને એક બોડીગાર્ડ પણ હતો જેની પાસે બંદૂક હતી. સુરક્ષા તપાસ દરમિયાન ID નકલી હોવાનું સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
PM મોદીના મુંબઈ કાર્યક્રમ પહેલા બે શંકાસ્પદ ઝડપાયા, PMOનું નકલી ID અને ગન સાથે મળ્યા
દિલ્હીમાં મણિપુર સંગીતકારની હત્યા: રાહુલ ગાંધીએ ગૃહ મંત્રાલયને ઘેર્યું
દિલ્હીના કિલોકરી ગામમાં 54 વર્ષીય મણિપુરી સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહની ઘોંઘાટ ઓછો કરવાનું કહેવા બદલ નિર્દયતાથી હત્યા કરાઈ. આ ઘટનાએ પૂર્વોત્તરના લોકોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. લોકસભામાં રાહુલ ગાંધીએ ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસને પૂર્વોત્તરના લોકો સામે વધતી અરાજકતા રોકવા પગલાં લેવા કહ્યું. રવિવારે રાત્રે કચરો ફેંકવા ગયેલા વિક્રમ સિંહ પર અવાજ ઓછો કરવા કહેતાં 8 યુવકોએ હુમલો કર્યો, જેના કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે 7 પુખ્ત અને 1 સગીરને ઝડપી લીધા છે.
દિલ્હીમાં મણિપુર સંગીતકારની હત્યા: રાહુલ ગાંધીએ ગૃહ મંત્રાલયને ઘેર્યું
રાજુલા નજીક ટ્રેક પર સિંહ, લોકોપાયલટની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
ભાવનગર ડિવિઝનના રાજુલા સિટી–રાજુલા જંકશન રેલખંડ પર ટ્રેક પર સિંહ દેખાતાં માલગાડીના લોકોપાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. લોકોપાયલટની સતર્કતા અને ત્વરિત નિર્ણયના કારણે સિંહ સંભવિત રેલ અકસ્માતનો ભોગ બનતા બચી ગયો હતો. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર દ્વારા સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કરાયો હતો. ભાવનગર ડિવિઝનમાં છેલ્લા ત્રણ વર્ષમાં આવા સંકલિત પ્રયાસોથી કુલ 353 સિંહોને રેલ અકસ્માતોથી બચાવવામાં આવ્યા છે.
રાજુલા નજીક ટ્રેક પર સિંહ, લોકોપાયલટની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલો પથ્થરમારો, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી
જામનગરના સંવેદનશીલ ગણાતા બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે જૂની અદાવત કે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. પરિસ્થિતિ પથ્થરમારા સુધી પહોંચતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલો પથ્થરમારો, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી
ગુજરાતમાં ₹35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સને વેગ, WDFCના 3 નવા વિભાગો રાષ્ટ્રને સમર્પિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા, ગુજરાત ખાતે ₹35,000 કરોડથી વધુના મલ્ટી-સેક્ટર વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટ્સમાં રેલવે, ફ્રેટ (માલવાહક), અને હાઇવે પ્રોજેક્ટ્સ સાથે નવી ટ્રેન સેવાઓ અને પશ્ચિમ ભારતના કોરિડોર લિંક્સનો સમાવેશ થાય છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC) ના 326 રૂટ કિમી આવરી લેતા ₹20,700 કરોડથી વધુના ત્રણ નવા વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરાયા, જે મુંબઈ બંદરને સીધી માલવાહક કનેક્ટિવિટી પૂરી પાડી કોરિડોરનું ઓપરેશન પૂર્ણ કરે છે.
ગુજરાતમાં ₹35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સને વેગ, WDFCના 3 નવા વિભાગો રાષ્ટ્રને સમર્પિત
PM મોદીએ WDFCના અંતિમ ત્રણ સેક્શન ખુલ્લા કર્યા, JNPT-દિલ્હી કનેક્ટિવિટી વધુ ઝડપી
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નો પ્રોજેક્ટ હવે સંપૂર્ણપણે ઓપરેશનલ બન્યો છે. PM નરેન્દ્ર મોદીએ વડોદરાથી WDFCના બાકી રહેલા ત્રણ મહત્વના સેક્શનનું લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટ ઉત્તર ભારતથી JNPT સુધી માલસામાનની અવરજવર માટે સીધી અને ઝડપી રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. WDFC, લગભગ 1,506 કિ.મી. લાંબો, પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે. આ નવી કનેક્ટિવિટી દ્વારા માલ પહોંચાડવાનો સમય 3-4 દિવસથી ઘટીને માત્ર 24 કલાક થશે. આનાથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે, ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
PM મોદીએ WDFCના અંતિમ ત્રણ સેક્શન ખુલ્લા કર્યા, JNPT-દિલ્હી કનેક્ટિવિટી વધુ ઝડપી
થલતેજની હોસ્પિટલમાં તસ્કરે CCTV કેદ, 99,000 રૂપિયાની ચોરી, પોલીસ ફરિયાદ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક હોસ્પિટલમાં મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કરી 99,000 રૂપિયા રોકડાની ચોરી કરી લીધી. અજાણ્યો શખસ દવાની બારીમાંથી ઘૂસી, કાતર વડે ડ્રોવરનું તાળું તોડી આ ચોરીને અંજામ આપ્યો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરના પતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
થલતેજની હોસ્પિટલમાં તસ્કરે CCTV કેદ, 99,000 રૂપિયાની ચોરી, પોલીસ ફરિયાદ
પૂજા-પાઠમાં ગલગોટાના ફૂલોના ઉપયોગનું પૌરાણિક રહસ્ય અને મહત્વ
પૂજા-પાઠ અને શણગારમાં ગલગોટાના ફૂલોનો વિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. તેના ચમકતા પીળા અને નારંગી રંગો સકારાત્મકતા, શુભ શરૂઆત અને પૂર્ણતાનું પ્રતીક છે. ગલગોટા સરળતાથી ઉપલબ્ધ હોવા ઉપરાંત લાંબા સમય સુધી તાજા રહે છે, તેથી તે માળા બનાવવા અને શણગાર માટે શ્રેષ્ઠ છે. આ ફૂલો ભગવાન વિષ્ણુ, ગણેશ, પાર્વતી અને લક્ષ્મીજી જેવા દેવી-દેવતાઓના પ્રિય માનવામાં આવે છે, અને તેમને ચઢાવવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. પીળો રંગ ગુરુ બૃહસ્પતિ સાથે પણ જોડાયેલો છે, જે જ્ઞાન અને વિદ્યા આપે છે.
પૂજા-પાઠમાં ગલગોટાના ફૂલોના ઉપયોગનું પૌરાણિક રહસ્ય અને મહત્વ
થોરિયમ: ભારતનું ઊર્જા સુપરપાવર બનવાનું સપનું, વૈજ્ઞાનિકોનો નવો માર્ગ
ભારત ઊર્જા જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર છે, પરંતુ 'થોરિયમ' ના ઉપયોગથી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે. અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરે સૂચવ્યું છે કે લાંબા ગાળાની ઊર્જા સ્વતંત્રતા માટે થોરિયમનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. થોરિયમ એ કુદરતી રીતે મળતું કિરણોત્સર્ગી તત્વ છે જે સ્વચ્છ ઊર્જાનો મોટો સ્ત્રોત બની શકે છે. તેના ઉપયોગથી ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે, કારણ કે વિશ્વનો 25% થોરિયમ ભંડાર ભારત પાસે છે. આ ઉપરાંત, થોરિયમ બળતણ કાર્યક્ષમ, પર્યાવરણને અનુકૂળ અને સલામત છે.
થોરિયમ: ભારતનું ઊર્જા સુપરપાવર બનવાનું સપનું, વૈજ્ઞાનિકોનો નવો માર્ગ
તમિલનાડુ વિધાનસભામાં ભારે હોબાળો: DMK ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા, જાણો કારણ
તમિલનાડુ વિધાનસભામાં મંગળવારે મુખ્ય પ્રધાન વિજયના ED અને DMK શાસન પર ભ્રષ્ટાચારના આરોપો બાદ ભારે હોબાળો થયો. DMK ધારાસભ્યોના વિરોધને પગલે વિધાનસભા અધ્યક્ષે તમામ વિરોધ કરી રહેલા DMK ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો. મુખ્ય પ્રધાને EDના દસ્તાવેજો ટાંકીને દાવો કર્યો કે અગાઉના DMK શાસનમાં કોન્ટ્રાક્ટરો પાસેથી 'પાર્ટી ફંડ' તરીકે 7.5 થી 10% રકમ વસૂલવામાં આવતી હતી. DMKએ આ ટિપ્પણીઓને નિયમો વિરુદ્ધ ગણાવી રૅકોર્ડમાંથી હટાવવાની માંગ કરી, પરંતુ અધ્યક્ષે તેને ફગાવી દીધી.
તમિલનાડુ વિધાનસભામાં ભારે હોબાળો: DMK ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા, જાણો કારણ
સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી, ગુસ્સે ભરાયેલા લોકોએ વૃદ્ધને જાહેરમાં સજા આપી, Police તપાસમાં
સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક વૃદ્ધ દ્વારા યુવતીની છેડતીનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ ઘટના બાદ ત્યાં હાજર લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને તેઓએ તે વૃદ્ધને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ યુવતીએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી વૃદ્ધને લોકોના ટોળામાંથી છોડાવી, અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી, ગુસ્સે ભરાયેલા લોકોએ વૃદ્ધને જાહેરમાં સજા આપી, Police તપાસમાં
અમદાવાદના સેટેલાઈટ GST ઈન્સ્પેક્ટરના બંધ મકાનમાં ચોરી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં જીએસટી ઈન્સ્પેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.62 લાખ રૂપિયાથી વધુની ચોરી કરી છે. સ્વયંભૂ એપાર્ટમેન્ટમાં ઘૂસીને ચોર ટોળકી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરીને ફરાર થઈ ગઈ હતી. જીએસટી ઈન્સ્પેક્ટર નિરવ દરજી અને તેમની પત્ની પ્રિયંકાબહેન દરજી, જેઓ DEO કચેરીમાં જુનિયર ક્લાર્ક છે, તેમના મકાનમાં આ બનાવ બન્યો હતો. પ્રિયંકાબહેન દરજીએ સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી CCTV ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સેટેલાઈટ GST ઈન્સ્પેક્ટરના બંધ મકાનમાં ચોરી
અમદાવાદના રામોલમાં સગીરના જોખમી મોપેડ સ્ટંટનો વીડિયો વાઈરલ
અમદાવાદના રામોલ વિસ્તારમાં એક સગીર દ્વારા જાહેર માર્ગ પર ત્રણ સવારી સાથે મોપેડ પર જોખમી સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ચર્ચામાં આવ્યા બાદ રામોલ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી. તપાસમાં જાણવા મળ્યું કે વાહન ચાલક સગીર છે અને તેની પાસે લાયસન્સ પણ નથી. પોલીસે વાહન ચાલકની માતા, કૌશલ્યા માજીરાણા, સામે ગુનો નોંધ્યો છે, કારણ કે તેમણે સગીર પુત્રને લાયસન્સ ન હોવા છતાં મોપેડ ચલાવવા આપ્યું હતું. આ ઘટના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને સગીરો દ્વારા થતી જોખમી ડ્રાઇવિંગ અંગે ચિંતા ઊભી કરે છે.
અમદાવાદના રામોલમાં સગીરના જોખમી મોપેડ સ્ટંટનો વીડિયો વાઈરલ
રોજીરોટીની શોધમાં નીકળેલા મજૂરો માટે મોતની મુસાફરી
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને જોડતા Gondia-Balaghat સ્ટેટ હાઇવે પર ગોંદિયા નજીક નાગરા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક અનિયંત્રિત ટ્રકે સામેથી મજૂરોથી ભરેલી બોલેરો કારને જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. ઘટનાસ્થળે જ 3 વર્ષના બાળકી સહિત કુલ 6 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રોજીરોટીની શોધમાં નીકળેલા મજૂરો માટે આ મુસાફરી કાળ બની હતી.
રોજીરોટીની શોધમાં નીકળેલા મજૂરો માટે મોતની મુસાફરી
પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક
ગોવાના પણજીમાં 7 સપ્ટેમ્બર, 2026ના રોજ પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક યોજાઈ. આ બેઠકમાં સહકારી સંઘવાદ, આર્થિક વિકાસ, કૃષિ ધિરાણ સોસાયટીઓનું કમ્પ્યુટરાઇઝેશન, સાયબર ક્રાઇમ, દરિયાઈ સુરક્ષા, નાર્કોટિક્સ અને જાહેર કલ્યાણ યોજનાઓના અમલીકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. પશ્ચિમ ક્ષેત્રને ‘WEST’ એન્જિન તરીકે ઓળખવામાં આવ્યું. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956 હેઠળ રચાયેલી આ કાઉન્સિલ રાજ્યો વચ્ચે સહકાર અને વિવાદ નિવારણ માટેનું વૈધાનિક મંચ છે.
પશ્ચિમી ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક
વડોદરાના જાહેર રોડ પર ગેરકાયદે મંડપ બાંધી ચકડોળ ઊભું કરનાર 4 સામે ગુનો દાખલ.
વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક જાહેર રોડ પર પરવાનગી વગર મંડપ બાંધી ચકડોળ ઊભું કરવાના મામલે પોલીસે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. રાહદારીઓ અને વાહનવ્યવહારને અડચણરૂપ બનતી પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ થતાં સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ દ્રશ્ય જોયું. ચકડોળ માટે મંડપ બાંધવામાં આવી રહ્યો હતો અને પૂછપરછ કરતાં કોઈપણ પ્રકારની મંજૂરી ન હોવાનું સામે આવ્યું. પોલીસે પંડાલનો સામાન જપ્ત કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના જાહેર રોડ પર ગેરકાયદે મંડપ બાંધી ચકડોળ ઊભું કરનાર 4 સામે ગુનો દાખલ.
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી નજીક કાર તળાવની રેલિંગ સાથે અથડાઈ
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી નજીક લહેર તળાવ પાસે એક કારચાલક બેકાબૂ બનતાં અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી કાર લહેર તળાવ નજીકની રેલિંગ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ કાર ઊંધી પડી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ police તપાસ બાદ જાણવા મળશે.
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી નજીક કાર તળાવની રેલિંગ સાથે અથડાઈ
‘શંકરટેકરીમાં છૂટથી દારૂ મળે છે’ કહેનાર આરોપીએ સોશિયલ મીડિયામાં પોલીસની માંગી માફી
જામનગર શહેરમાં દારૂબંધીની અમલવારી અને પોલીસની કામગીરીને પડકારતો વીડિયો વાયરલ કરનાર સદામહુશેન ખીરાના હવે સૂર બદલાયા છે. અગાઉ તેણે શંકરટેકરી વિસ્તારમાં જોઈએ તેટલો દારૂ મળી રહે છે તેવી વાતો કરતો વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે તેને 13 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરી. આરોપીએ કબૂલ્યું કે તે દારૂના નશામાં હતો અને આ પ્રકારનો વીડિયો બનાવ્યો હતો, તેમજ પોલીસની માફી માંગી છે.
‘શંકરટેકરીમાં છૂટથી દારૂ મળે છે’ કહેનાર આરોપીએ સોશિયલ મીડિયામાં પોલીસની માંગી માફી
પરિણીતાને પતિ, સાસુ-સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ, ફરિયાદ નોંધાઈ
જામનગરના મહિલા પોલીસ મથકમાં એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતા મહિલાનો આરોપ છે કે પતિની દારૂ પીવાની કુટેવને કારણે ઝઘડા થતા અને મારકૂટ થતી. સાસુ-સસરા પણ પતિનો સાથ આપી તેમજ મેણાં-ટોણાં મારી ત્રાસ આપતા હતા. અગાઉ પણ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, પરંતુ સમાધાન ન થતાં આખરે પરિણીતાએ કાયદેસર ફરિયાદ દાખલ કરાવી છે.
પરિણીતાને પતિ, સાસુ-સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ, ફરિયાદ નોંધાઈ
મારી પત્નીએ મારા રૂ.50 કરોડ લઇ લીધા!
ઉમરગામ તાલુકાના ધનોલી ગામમાં 43 વર્ષીય શખ્સ 66 કે.વી. હાઇટેન્સન વીજ ટાવર પર ચઢી જતા ભારે દોડધામ મચી ગઇ. પોલીસ અને ફાયર વિભાગના લાશ્કરો તાત્કાલિક દોડી ગયા હતા. વીજપ્રવાહ બંધ કરી શખ્સને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયો હતો. માનસિક રીતે અસ્થિર જણાતો આ શખ્સ ગઇકાલે રાત્રે ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેની પત્નીએ તેના રૂ.50 કરોડ લઈ લીધા છે અને તેનો ભાઇ તેને મારવા માંગે છે, તેથી જીવ બચાવવા તે ટાવર પર ચઢી ગયો હતો.
મારી પત્નીએ મારા રૂ.50 કરોડ લઇ લીધા!
અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સાપ્તાહિક ટ્રેન હવે નિયમિત
અમદાવાદથી તિરુચ્ચિરાપલ્લી જતી સાપ્તાહિક વિશેષ ટ્રેન હવે નિયમિત એક્સપ્રેસ તરીકે કાર્યરત થશે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09419/09420 ને હવે 19419/19420 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે નિયમિત કરવામાં આવી છે. આ નવી સેવા 24મી સપ્ટેમ્બર 2026 થી શરૂ થશે. નિયમિત સેવા શરૂ થતાં, મુસાફરોને વિશેષ ટ્રેનની સરખામણીમાં ભાડામાં રાહત, નિયમિત સમયપત્રક અને અગાઉથી આયોજનની સુવિધા મળશે. આ ટ્રેન ગુજરાત સહિત દક્ષિણ ભારતના અનેક મહત્વના શહેરોને જોડશે, જેમાં AC 2-ટિયર, AC 3-ટિયર, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.
અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સાપ્તાહિક ટ્રેન હવે નિયમિત
વડાપ્રધાન મોદી સુરક્ષા વગર લોકો વચ્ચેથી મંચ સુધી પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે અનોખું દ્રશ્ય સર્જાયું. ડોમમાં પ્રવેશતા જ, PM મોદી કોઈ નેતા કે સુરક્ષાકર્મીઓના કાફલા વિના એકલા લોકોની વચ્ચેથી ચાલીને મંચ સુધી પહોંચ્યા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું, જેના પગલે સમગ્ર ડોમ ચિચિયારીઓ અને ‘મોદી-મોદી’ના ઉત્સાહભેર નારાઓથી ગુંજી ઉઠ્યો. લોકો PM મોદીની એક ઝલક મેળવવા આતુર હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદી સુરક્ષા વગર લોકો વચ્ચેથી મંચ સુધી પહોંચ્યા
ભારતીય સેનાની ‘આશ્વસ્ત’ લેબ: ડ્રોન સોફ્ટવેરમાં છુપાયેલા જોખમો શોધવા નવી પહેલ
ભારતીય સેનાએ નવી દિલ્હીમાં ‘આશ્વસ્ત’ (AASHVAST) નામની અદ્યતન સોફ્ટવેર વિશ્લેષણ અને વેલિડેશન પ્રયોગશાળા સ્થાપી છે. આ પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કરી ડ્રોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સંરક્ષણ પ્રણાલીઓમાં રહેલા સોફ્ટવેર જોખમો, અનધિકૃત ઘટકો અને સુરક્ષા ખામીઓને શોધવાનો છે. ‘આશ્વસ્ત’ પ્રયોગશાળા ઇન્ટરનેટ કે અન્ય નેટવર્ક સાથે જોડાયેલ નથી, જે તેને બાહ્ય સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખે છે. આ સ્વદેશી ટેકનોલોજી ક્ષમતા સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે.
ભારતીય સેનાની ‘આશ્વસ્ત’ લેબ: ડ્રોન સોફ્ટવેરમાં છુપાયેલા જોખમો શોધવા નવી પહેલ
જામનગર-રાજકોટ હાઇવે પર વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો
જામનગર-રાજકોટ હાઇવે પર સરમરીયા દાદાના મંદિર પાસે, ખારવા ગામ તરફ જતા માર્ગે વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધ્રોળ પોલીસ સ્ટેશનના સ્ટાફે જાયવા ગામના પાટીયા પાસે દરોડો પાડી મધ્યપ્રદેશના પુજારા ફળિયું, ફટા છોટી ગામ, તાલુકો ભાભરા, જિલ્લો અલીરાજપુર નિવાસી અલકેશ ઝેતર પચાયા (ઉંમર 40) ને ઝડપી પાડ્યો. તેના પાસેથી ભારતીય બનાવટની 180 મિલીલીટરની દારૂની 10 બોટલો કબજે કરાઈ.
જામનગર-રાજકોટ હાઇવે પર વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો
જાહેરમાં કચરો ફેંકતા 600થી વધુ દુકાનદારો પર કાર્યવાહી
જામનગર શહેરમાં સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવનારા અને જાહેરમાં કચરો ફેંકતા 600થી વધુ દુકાનદારો અને ધંધાર્થીઓ સામે જામનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.5.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઓગસ્ટ માસમાં લગભગ 3850 દુકાનદારોને ન્યુસન્સ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કેટલાક દ્વારા નિયમોનો ભંગ કરાયો હતો. મહાનગરપાલિકાએ તમામ વેપારીઓને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા તાકીદ કરી છે.
જાહેરમાં કચરો ફેંકતા 600થી વધુ દુકાનદારો પર કાર્યવાહી
જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડામાં છ મહિલા સહિત 19 જુગારીઓ ઝડપાયા
જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ચાર અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહિલા સહિત કુલ 19 શખ્સોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂ.28,790 રોકડ, ગંજીપત્તાની 208 જોડી અને મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામજોધપુરના દરોડામાં બે શખ્સો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા.
જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડામાં છ મહિલા સહિત 19 જુગારીઓ ઝડપાયા
બે પાડોશીઓના ઝઘડામાં પિતા-પુત્રી પર ચાર શખ્સોનો હિચકારો હુમલો
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં દીકરીને માર મારવા બાબતે સમજાવવા ગયેલા પિતા પર ચાર શખ્સોએ લાકડાના ધોકાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલાખોરોએ બે કારના કાચ તોડી રૂ.30 હજારનું નુકસાન કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પિતા-પુત્રી અને મોટાભાઈને પણ ઇજાઓ થઈ હતી.
બે પાડોશીઓના ઝઘડામાં પિતા-પુત્રી પર ચાર શખ્સોનો હિચકારો હુમલો
જમ્મુ-કાશ્મીરનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ જમ્મુ એંડ કાશ્મીર (IFFJK) શ્રીનગર ખાતે 7 થી 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયો છે, જેનો મુખ્ય હેતુ ‘રંગ-એ-સિનેમા’ થીમ સાથે સિનેમા અને કાશ્મીરની સંસ્કૃતિને જોડવાનો છે. આ ફેસ્ટિવલમાં 41 દેશોની 135 ફિલ્મોનું સ્ક્રીનિંગ થશે. દલ તળાવમાં સ્થાપિત ફ્લોટિંગ સિનેમા, જ્યાં શિકારા પર બેસીને ફિલ્મો જોઈ શકાશે, તે એક વિશેષ આકર્ષણ છે. આ મહોત્સવમાં કાશ્મીરી પંડિત ફિલ્મ નિર્માતાઓ દ્વારા નિર્મિત બે કાશ્મીરી ભાષાની ફિલ્મો પણ પસંદગી પામી છે.
જમ્મુ-કાશ્મીરનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ
BRICS સમિટ પહેલાં ઈરાનનો ભારતને જૂનો મિત્ર ગણાવ્યો
BRICS સમિટ પહેલાં, ઈરાને ભારતને જૂનો મિત્ર ગણાવીને દ્વિપક્ષીય સંબંધોને મહત્વ આપ્યું છે. છેલ્લાં 8 મહિનાથી યુદ્ધની સ્થિતિમાં રહેલા ઈરાને ભારતની તટસ્થ નીતિની પ્રશંસા કરી છે. તાજેતરમાં PM મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે SCO સમિટ દરમિયાન થયેલી મુલાકાત બાદ, ઈરાનના વિદેશ મંત્રાલયે ભારત સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. BRICS સમિટમાં ચાબહાર પોર્ટ, વેપાર અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના છે, જે અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
BRICS સમિટ પહેલાં ઈરાનનો ભારતને જૂનો મિત્ર ગણાવ્યો
જામનગરમાં જાહેરમાં જુગાર રમતા 5 મહિલા સહિત 10 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં LCB Police એ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ, એક મોટરસાઇકલ અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,27,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સૂચના બાદ LCB ની ટીમે ખાનગી બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીથી જુગાર રમતા અન્ય આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.