PM મોદીના આગમન પૂર્વે સુરતમાં VVIP રૂટ પર ભુવો પડતાં તંત્રમાં દોડધામ, યુદ્ધના ધોરણે રિપેરિંગ
PM મોદીના આગમન પૂર્વે સુરતમાં VVIP રૂટ પર ભુવો પડતાં તંત્રમાં દોડધામ, યુદ્ધના ધોરણે રિપેરિંગ
Published on: 04th June, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે, પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમના VIP રૂટ પર અચાનક રસ્તો ધસી પડતાં એક મોટો ભુવો સર્જાયો હતો. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. સદભાગ્યે, વડાપ્રધાનના આગમનના એક દિવસ પહેલાં જ આ ભુવો પડતાં તંત્રને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કાર્ય હાથ ધરવાનો અને સંભવિત શરમજનક પરિસ્થિતિ ટાળવાનો સમય મળ્યો.