કેનેડામાં ગુંજ્યો 'જય જગન્નાથ'નો જયઘોષ
કેનેડામાં ગુંજ્યો 'જય જગન્નાથ'નો જયઘોષ
Published on: 12th July, 2026

કેનેડાના ટોરોન્ટોમાં અષાઢી બીજ પહેલાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ. 'જય જગન્નાથ' અને 'હરે રામ-હરે કૃષ્ણ'ના નાદ સાથે હજારો ભારતીયો અને સ્થાનિક કેનેડિયનો જોડાયા. કેનેડિયનોએ પણ હરિનામ સંકીર્તનમાં ભાગ લીધો અને રથનું દોરડું ખેંચી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો. વિદેશમાં વસતા ભારતીયો પોતાની સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વર્ષોથી આ રથયાત્રાનું આયોજન કરે છે. આ ભવ્ય ઉજવણીએ સાબિત કર્યું કે આસ્થા અને સંસ્કૃતિને કોઈ સરહદો બાંધી શકતી નથી.