ભારતમાં નાગરિકતા: 3 દેશોનો પાસપોર્ટ સરેન્ડર કરવો ફરજિયાત.
ભારતમાં નાગરિકતા: 3 દેશોનો પાસપોર્ટ સરેન્ડર કરવો ફરજિયાત.
Published on: 19th May, 2026

Ministry of Home Affairsએ નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ મોટા નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતની નાગરિકતા માટે અરજી કરનાર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને પોતાના પાસપોર્ટ અંગે સંપૂર્ણ માહિતી આપવી ફરજિયાત રહેશે. અરજદારે હાલ અથવા ભૂતકાળમાં આ દેશોના પાસપોર્ટ ધરાવતા હોવાની વિગતો એફિડેવિટ દ્વારા જાહેર કરવી પડશે અને પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ ફેરફાર નાગરિકતા પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે.