સુરંગમાં 9 દિવસ મોત સામે જંગ, 'હરે કૃષ્ણ' જાપથી ટક્યો જીવ
સુરંગમાં 9 દિવસ મોત સામે જંગ, 'હરે કૃષ્ણ' જાપથી ટક્યો જીવ
Published on: 04th September, 2026

નેપાળમાં ભયાનક પૂર હોનારત વચ્ચે એક અદભૂત ચમત્કાર સર્જાયો છે. 9 દિવસ સુધી અંધારી સુરંગમાં ફસાયેલા રહેવા છતાં, એક કામદારે 'હરે કૃષ્ણ' મંત્રજાપથી પોતાની હિંમત ટકાવી રાખી અને જન્માષ્ટમીના પવિત્ર દિવસે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. આ પ્રેરણાદાયક ઘટના નેપાળના ત્રિશુલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની લાંબી સુરંગમાં બની, જ્યાં સંજય સાહ નામના કામદારને બચાવી લેવાયો. મોતના ઓછાયા હેઠળ પણ તેણે પોતાની ફરજ નિભાવી અને અન્ય લોકોને ચેતવણી આપી.