બિશ્કેકમાં PM મોદી અને પુતિનની મુલાકાત
બિશ્કેકમાં PM મોદી અને પુતિનની મુલાકાત
Published on: 31st August, 2026

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ. PM મોદીએ યુદ્ધ વિરામ અને શાંતિ સ્થાપવા અપીલ કરતા કહ્યું કે, તમામ વિવાદોનો ઉકેલ શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા જ શક્ય છે. તેમણે 'એન્ડલેસ વોર' થી 'એન્ડ ઓફ વોર' તરફ આગળ વધવું જરૂરી છે, કારણ કે યુદ્ધ માનવતાના કલ્યાણને પાછળ ધકેલે છે. બંને નેતાઓએ સંરક્ષણ, ઊર્જા, વેપાર, ખાતર સપ્લાય અને BRICS શિખર સંમેલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. પુતિને કહ્યું કે ભારત-રશિયા વેપાર વધ્યો છે અને ભાગીદારી મજબૂત બની રહી છે.