ઝેલેન્સકી ની રશિયન એરસ્પેસ વાપરતી એરલાઇન્સને ચેતવણી!
ઝેલેન્સકી ની રશિયન એરસ્પેસ વાપરતી એરલાઇન્સને ચેતવણી!
Published on: 02nd September, 2026

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયન એરસ્પેસનો ઉપયોગ કરતી તમામ એરલાઇન્સ, વીમા કંપનીઓ અને એરપોર્ટ વપરાશકર્તાઓને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે યુક્રેનિયન ડ્રોન પ્રવૃત્તિને કારણે રશિયન હવાઈ ક્ષેત્ર અત્યંત ખતરનાક બની રહ્યું છે અને નાગરિક વિમાનોની સલામતી જોખમમાં મુકાઈ શકે છે. આ ચેતવણી એર ઇન્ડિયા સહિત અનેક એરલાઇન્સને અસર કરી શકે છે જે રશિયન હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આને 'સ્ટેટ ટેરરિઝમ' ગણાવ્યું છે.