PoK માં શહબાઝ સરકારનું નરમ વલણ, પ્રદર્શનકારીઓને ગણાવ્યા દેશભક્ત
PoK માં શહબાઝ સરકારનું નરમ વલણ, પ્રદર્શનકારીઓને ગણાવ્યા દેશભક્ત
Published on: 09th August, 2026

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં બે મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે શહબાઝ શરીફ સરકારનું વલણ નરમ પડ્યું છે. જે પ્રદર્શનકારીઓને પહેલા કાયદો-વ્યવસ્થા માટે પડકાર ગણાવાતા હતા, તેમને હવે 'દેશભક્ત' ગણાવી મંત્રણાનું આમંત્રણ અપાયું છે. શહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે જણાવ્યું કે, જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) સાથે જોડાયેલા 99 ટકા લોકો 'દેશભક્ત' છે. જો PML(N) PoK માં સરકાર બનાવશે, તો JAAC ના પ્રતિનિધિઓ સાથે બેસી માંગણીઓ પર ચર્ચા કરાશે. અગાઉ PML(N) નો દાવો હતો કે, પ્રદર્શનકારીઓમાં તહરીક-એ-તાલિબાનના લોકો સામેલ છે. આ બદલાયેલું વલણ PoK ના આક્રોશ સામે સરકારની બેકફૂટ દર્શાવે છે.