બાંગ્લાદેશમાં આતંકીઓ ખુલ્લેઆમ ફરે છે: શેખ હસીનાના પુત્રે પોલ ખોલી
બાંગ્લાદેશમાં આતંકીઓ ખુલ્લેઆમ ફરે છે: શેખ હસીનાના પુત્રે પોલ ખોલી
Published on: 26th August, 2026

આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ, અલ-કાયદા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં વિસ્તરી રહ્યું છે. અલ-કાયદા - ઇન- ઇંડીયા સબ કોન્ટીનન્ટ (AQIS)નો બીજો સૌથી મોટો આતંકી, ઇકરામ-અલ- હક્ક, બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. શેખ હસીનાના પુત્ર, સાજીબ વાજેદે આ વાતનો ખુલાસો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદે પણ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે અલ-કાયદા બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારતીય ઉપમહાદ્વીપમાં નેટવર્ક વિસ્તારવા માટે કરી રહ્યું છે. ૨૦૧૮માં ભારતમાં આવેલ ઇકરામ-ઉલ- હક્કે બનાવટી દસ્તાવેજોથી પાસપોર્ટ મેળવી પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સુધી નેટવર્ક બનાવ્યું હતું.