કેનેડામાં ગણેશોત્સવ: ઘરે ઉગાડેલા તાજા શાકભાજીથી બાપ્પાને ધરાવ્યો થાળ
કેનેડામાં ગણેશોત્સવ: ઘરે ઉગાડેલા તાજા શાકભાજીથી બાપ્પાને ધરાવ્યો થાળ
Published on: 15th September, 2026

કેનેડાના સ્ટોફવિલેમાં રહેતા મૂળ બિલીમોરાના મહેતા પરિવારે વિદેશમાં ગણેશોત્સવની પરંપરા જાળવી રાખી છે. ફ્રોઝન ફૂડના દેશમાં, બાપ્પાના થાળ માટે પરિવાર દ્વારા ઘરે જ તાજા શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. રાજીવ અને હીરલ મહેતા ૨૨ વર્ષથી કેનેડામાં સ્થાયી થયા છે અને બાળકો ભારતીય તહેવારોની ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લે છે. છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે છે અને સામૂહિક વિસર્જન બાદ સમૂહભોજનનું આયોજન થાય છે, જેથી નવી પેઢી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે.