‘સિંઘમ IAS’ તુકારામ મુંઢે: 21 વર્ષમાં 25 ટ્રાન્સફર, FDA માં આવતા ભેળસેળિયાઓમાં ફફડાટ
‘સિંઘમ IAS’ તુકારામ મુંઢે: 21 વર્ષમાં 25 ટ્રાન્સફર, FDA માં આવતા ભેળસેળિયાઓમાં ફફડાટ
Published on: 19th August, 2026

IAS Tukaram Mundhe હાલમાં મહારાષ્ટ્રમાં ચર્ચામાં છે. મે 2026માં FDA કમિશનર બન્યા બાદ તેમણે ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. માત્ર ત્રણ મહિનામાં 1,100થી વધુ દરોડા, 165 લાયસન્સ સસ્પેન્ડ, અને રૂ. 50-55 કરોડનો અસુરક્ષિત ખાદ્યપદાર્થ જપ્ત કર્યો છે. ખેડૂત પરિવારમાંથી આવીને IAS બનેલા તુકારામ મુંઢે તેમની સાદગી અને કડક કાર્યશૈલી માટે જાણીતા છે. 21 વર્ષની કારકિર્દીમાં 25 બદલીઓ થતાં તેમને 'સિંઘમ IAS' કહેવામાં આવે છે.