બેડચીતના ખેડૂતની પુર્ણા નદી કિનારાની જમીનનું ભારે ધોવાણ
બેડચીતના ખેડૂતની પુર્ણા નદી કિનારાની જમીનનું ભારે ધોવાણ
Published on: 24th August, 2026

ડોલવણ તાલુકાના બેડચીત ગામમાં પુર્ણા નદીના વહેણને કારણે ખેડૂત સુનિલભાઇ પટેલની ખેતીલાયક જમીનનું ભારે ધોવાણ થયું છે. નદીનું પાણી ખેતરોમાં ઘુસી જતા જમીન ખોવાઈ ગઈ છે અને ખેતીવાડી માટે લગાવેલી વીજલાઇન પણ તહસનસહ થઈ ગઈ છે. દર વર્ષે ચોમાસામાં આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ખેડૂતો દ્વારા જમીનના ધોવાણને રોકવા પ્રોટેકશન વોલ બનાવવાની અને અસરગ્રસ્તોને વળતર આપવાની માંગણી કરવામાં આવી છે.