કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ ખાસ ઉપાય
કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ ખાસ ઉપાય
Published on: 16th August, 2026

13 ઓગસ્ટથી શરૂ થયેલો શ્રાવણ માસ 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પવિત્ર મહિનામાં કેટલાક ખાસ ઉપાયો કરવાથી જીવનની મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થઈ શકે છે. આ વર્ષે શ્રાવણમાં ગ્રહોની સ્થિતિ વિશેષ રહેશે. ગ્રહોની પરેશાનીઓ, મહાદશા-અંતર્દશા અથવા કુંડળીમાં ચાલી રહેલી નકારાત્મક અસરોમાંથી મુક્તિ માટે, ગોચર કરતા ગ્રહો અને તમારી વ્યક્તિગત સ્થિતિ અનુસાર ઉપાય કરો. જન્મ પત્રિકામાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ-કેતુ સંબંધિત પીડા માટે શિવલિંગ પર યોગ્ય વસ્તુઓથી અભિષેક, પૂજા, મંત્રોનો જાપ અને વ્રત જેવા ઉપાયો કરવાથી લાભ મળશે.