નાગેશ્વર જ્યોતિર્લિંગ: જ્યાં દારુકા રાક્ષસીનો વધ કરવા પ્રગટ્યા હતા મહાદેવ
નાગેશ્વર જ્યોતિર્લિંગ: જ્યાં દારુકા રાક્ષસીનો વધ કરવા પ્રગટ્યા હતા મહાદેવ
Published on: 14th August, 2026

ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ, પ્રાચીન કાળમાં જ્યાં સર્પોનું સામ્રાજ્ય હતું તેવા દારુકાવનમાં બિરાજમાન છે. આ પવિત્ર સ્થાન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પણ પૂજનિય રહ્યું છે. એવી માન્યતા છે કે, આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તો અજાણતાં થયેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે. દંતકથા અનુસાર, દારુકા રાક્ષસીના અત્યાચારથી મુક્તિ અપાવવા ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા અને જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થયા. શિવપુરાણ મુજબ, આ પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે.