56 વર્ષ બાદ ગુરુપૂર્ણિમા પર ગ્રહોનો અનોખો સંયોગ
56 વર્ષ બાદ ગુરુપૂર્ણિમા પર ગ્રહોનો અનોખો સંયોગ
Published on: 28th July, 2026

લગભગ 3000 વર્ષ પહેલાં અષાઢ પૂર્ણિમાના દિવસે વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ વર્ષની ગુરુપૂર્ણિમા 56 વર્ષ બાદ ગ્રહોના દુર્લભ સંયોગને કારણે અત્યંત ખાસ બની રહી છે. બુધાદિત્ય, શશ અને હંસ રાજયોગ સાથે શુક્ર-મંગળની યુતિથી 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' બની રહ્યો છે. આ યોગ મેષ અને વૃષભ રાશિઓ માટે અત્યંત શુભ રહેશે, જે કારકિર્દી, ધન-સંપત્તિ અને માન-સન્માનમાં વૃદ્ધિ કરાવશે.