રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ: મેષ, મિથુન, સિંહ અને કુંભ રાશિ માટે 15 દિવસ 'ભારે'
રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ: મેષ, મિથુન, સિંહ અને કુંભ રાશિ માટે 15 દિવસ 'ભારે'
Published on: 24th August, 2026

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે થઈ રહ્યું છે, જે ભારતમાં દેખાશે નહીં. જ્યોતિષ મુજબ, આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવાને કારણે મેષ, મિથુન, સિંહ અને કુંભ રાશિના જાતકો માટે આગામી 15 દિવસ સાવચેતીભર્યા રહેશે. મેષ રાશિના લોકો માનસિક તણાવ અને કાર્યોમાં અવરોધોનો અનુભવ કરી શકે છે. મિથુન રાશિને ભાવનાત્મક ઉતાર-ચઢાવ અને ખર્ચમાં વધારાનો સામનો કરવો પડી શકે છે. સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે, જ્યારે કુંભ રાશિના લોકો માટે વૈવાહિક જીવન અને નાણાકીય નુકસાનની સંભાવના છે.