૧૬ કરોડના દેવામાં ફસાયેલા રાજપાલ યાદવની બે સંપત્તિઓની હરાજી
૧૬ કરોડના દેવામાં ફસાયેલા રાજપાલ યાદવની બે સંપત્તિઓની હરાજી
Published on: 06th August, 2026

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ ગંભીર આર્થિક મુશ્કેલીઓમાં ફસાયા છે. ચેક બાઉન્સના મામલા બાદ હવે તેમની બે સંપત્તિઓની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હરાજી કરવામાં આવશે. આશરે રૂ. ૧૬ કરોડથી વધુના દેવા માટે, બેંકે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આવેલી તેમની બે મુખ્ય સંપત્તિઓને ગીરો રાખી હતી. આગામી ૯ સપ્ટેમ્બરે ઓનલાઈન હરાજી યોજાશે, જેમાં શાહજહાંપુરમાં આવેલી બે સંપત્તિઓની બજાર કિંમત રૂ. ૩,૧૯,૨૬,૦૦૦ આંકવામાં આવી છે.