કરિશ્મા તન્નાએ ‘કાન્હા’ના આશીર્વાદથી દીકરા ‘વેદ’ના નામનો કર્યો ખુલાસો
કરિશ્મા તન્નાએ ‘કાન્હા’ના આશીર્વાદથી દીકરા ‘વેદ’ના નામનો કર્યો ખુલાસો
Published on: 04th September, 2026

ટીવી અને બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરા હાલમાં જ માતા-પિતા બન્યા છે. ગુરુ પૂર્ણિમા પર પુત્રના જન્મની ખુશખબરી આપ્યા બાદ, કરિશ્માએ જન્માષ્ટમીના પવિત્ર અવસર પર પોતાના દીકરાના નામનો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના દીકરાનું નામ ‘વેદ તન્ના બંગેરા’ રાખ્યું છે, જે પવિત્ર જ્ઞાન, બુદ્ધિમત્તા અને પ્રકાશનું પ્રતીક છે. આ સાથે જ, કપલે પોતાના પતિ અને દીકરા સાથે પહેલી ફેમિલી ફોટો શેર કરી, જેમાં બાળકના નાનકડા હાથ નજરે પડી રહ્યા છે.