અભિનેતા ગોવિંદાનો પ્રતિકાર: ખોટા આક્ષેપો સામે રૂ. ૧૦૦ કરોડનો દાવો
અભિનેતા ગોવિંદાનો પ્રતિકાર: ખોટા આક્ષેપો સામે રૂ. ૧૦૦ કરોડનો દાવો
Published on: 04th September, 2026

અંગત જીવન વિશે ખોટી માહિતી અને બદનક્ષી પ્રેરિત આક્ષેપોથી કંટાળેલા અભિનેતા ગોવિંદાએ હવે જાહેર નોટિસ જારી કરીને બધા જ પ્રકારના ખોટા આરોપોને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે. આવી માનહાનિ પ્રેરિત અહેવાલો પ્રસારીત કરનાર કે ટેકો આપનારા વિરુદ્ધ રૂ. ૧૦૦ કરોડનો દાવો માંડવાની વાત કરી છે. આ નોટિસ ગોવિંદા અને તેમના અંગત જીવન વિશેની ખોટી, બદનક્ષીકારક સામગ્રીના નિર્માણ અને પ્રસાર સામે છે. તેમના મેનેજર શસી સિંહાએ આ જાહેરાતની પુષ્ટિ કરી હતી, સાથે જણાવ્યું કે આ મુદ્દો હવે જાહેર તમાશો બની ગયો છે.