પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળો શરૂ
પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળો શરૂ
Published on: 04th September, 2026

પોરબંદરમાં શ્રીકૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. ચકડોળ ધારકોએ જરૂરી તમામ પરવાનગીઓ મેળવી લેતા ચકડોળ સહિતની રાઇડ્સ પણ શરૂ કરવામાં આવી છે. મેળામાં આવતા લોકો માટે વિવિધ રાઇડ્સ, મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જર્મન ડોમ સાથેના સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા માટે દર્શકો માટે આશરે 1500 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. મેળામાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા CCTV મોનિટરિંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.