મુકેશ ખન્ના: 'જન ગણ મન' રાષ્ટ્રગાન નથી, 'વંદે માતરમ' બનવું જોઈએ
મુકેશ ખન્ના: 'જન ગણ મન' રાષ્ટ્રગાન નથી, 'વંદે માતરમ' બનવું જોઈએ
Published on: 17th August, 2026

'શક્તિમાન' તરીકે જાણીતા અભિનેતા મુકેશ ખન્નાએ દેશના રાષ્ટ્રગાન 'જન ગણ મન' અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે માંગ કરી છે કે 'જન ગણ મન'ના સ્થાને 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન બનાવવામાં આવે. ખન્નાના મતે, 'જન ગણ મન' ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ સમાન છે, જ્યારે 'વંદે માતરમ' દેશની મૂળ ભાવના સાથે જોડાયેલું છે. તેમણે એવું પણ કહ્યું કે 'ભાગ્યવિધાતા', 'પંજાબ' અને 'સિંધ' જેવા શબ્દો પોતાના નથી લાગતા. ખન્ના આશા વ્યક્ત કરી છે કે PM મોદી આ દિશામાં ઝડપી નિર્ણય લેશે.