એક સમયે કરોડોની સંપત્તિ છતાં અંતિમયાત્રામાં માત્ર 8 લોકો!
એક સમયે કરોડોની સંપત્તિ છતાં અંતિમયાત્રામાં માત્ર 8 લોકો!
Published on: 22nd May, 2026

1950ના દાયકાના સુપરસ્ટાર ભારત ભૂષણ, જેમણે 'બૈજુ બાવરા' અને 'મિર્ઝા ગાલિબ' જેવી ફિલ્મો આપી, તેઓ એક સમયે અઢળક સંપત્તિના માલિક હતા. પરંતુ ખોટા નાણાકીય નિર્ણયો અને ફિલ્મ પ્રોડક્શનમાં થયેલા ભારે નુકસાનને કારણે તેમણે બધું જ ગુમાવ્યું. પોતાની આજીવન કમાણી ગુમાવી, તેમણે કાર અને બંગલા વેચવા પડ્યા. અંતે, તેમણે મલાડમાં એક ફ્લેટમાં આશ્રય લીધો. તેમની અંતિમયાત્રામાં માત્ર 8 લોકો હાજર રહ્યા હતા, જે બોલિવૂડના ઉતાર-ચઢાવની કરુણ કહાની દર્શાવે છે.