અમીષા પટેલ રોહિત-વિરાટના સમર્થનમાં
અમીષા પટેલ રોહિત-વિરાટના સમર્થનમાં
Published on: 17th July, 2026

રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ અંગેની અટકળો વચ્ચે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પ્રકારના વર્તનને શરમજનક ગણાવ્યું છે. અમીષા પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "હું લાંબા સમયથી આ બધું જોઈ રહી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર સુપરસ્ટાર્સ સાથે ક્રિકેટના આ મુશ્કેલ દોરમાં જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, તે જોઈને હું સ્તબ્ધ છું… આ ખરેખર શરમજનક કહેવાય!" મીડિયા રિપોર્ટ્સ મુજબ, લૉડ્સમાં રમાયેલી ત્રીજી વન-ડે રોહિત શર્માની છેલ્લી મેચ હોઈ શકે છે, જોકે BCCI કે રોહિત તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી.