લોર્ડ્સમાં રોહિત શર્માની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ અંગે BCCIનું મોટું નિવેદન
લોર્ડ્સમાં રોહિત શર્માની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ અંગે BCCIનું મોટું નિવેદન
Published on: 17th July, 2026

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ અંગેની અટકળો પર BCCI એ પૂર્ણવિરામ મૂકી દીધું છે. રવિવારે Lord's માં ઈંગ્લેન્ડ સામે રમાનારી 3rd ODI મેચ રોહિત શર્મા છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નથી, તેમ બોર્ડે સ્પષ્ટ કર્યું છે. ટેસ્ટ અને T20 માંથી નિવૃત્તિ બાદ વન-ડેમાંથી પણ નિવૃત્તિ લેશે તેવી ચર્ચા હતી. BCCI સચિવ દેવાજીત સૈકિયાએ જણાવ્યું કે રોહિત શર્મા હજુ પણ ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી ટીમની યોજનાઓમાં છે ત્યાં સુધી રમતો રહેશે. 2027 World Cup ની યોજનાઓમાંથી બહાર રાખવાના અહેવાલો ખોટા છે.