કચ્છમાં ડીઝલનું રેકોર્ડબ્રેક વેચાણ: 21 દિવસમાં 53093 KL
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ હતી, પરંતુ 1 થી 21 જૂનના ઓઇલ માર્કેટિંગ કંપનીઓના આંકડાઓએ આ વાતનું ખંડન કર્યું છે. કચ્છમાં ડીઝલના વપરાશમાં 81.8% નો તોતિંગ ગ્રોથ જોવા મળ્યો છે, જેણે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોને પણ પાછળ છોડી દીધા છે. આ 21 દિવસમાં કચ્છમાં 53093 કિલોલીટર ડીઝલનું વેચાણ થયું છે, જે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. પેટ્રોલનું વેચાણ 6883 કિલોલીટર સાથે કચ્છ છઠ્ઠા ક્રમે છે. ઓઇલ કંપનીઓએ જણાવ્યું કે રાજ્યભરમાં સપ્લાય સામાન્ય છે. કચ્છ હવે ગુજરાતનું સૌથી મોટું આર્થિક એન્જિન બની રહ્યું છે.
કચ્છમાં ડીઝલનું રેકોર્ડબ્રેક વેચાણ: 21 દિવસમાં 53093 KL
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કરો રોકાણ, વ્યાજથી જ થશે 4 લાખથી વધુની કમાણી
જોખમ વગર સુરક્ષિત રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ સ્કીમ સારો વિકલ્પ છે. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક આ ખાતું ખોલાવી શકે છે, જ્યારે સગીર માટે વાલી ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 1થી 5 વર્ષ માટે 6.9%થી 7.5% સુધીનું વ્યાજ મળે છે. 5 વર્ષની મુદત માટે રોકાણ કરવાથી આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ પણ મળે છે. આ યોજના નિશ્ચિત અને સુરક્ષિત વળતર આપતી FD જેવી બચત યોજના છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કરો રોકાણ, વ્યાજથી જ થશે 4 લાખથી વધુની કમાણી
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
દેશભરમાં ટોલ ચુકવણી સરળ બનાવવા માટે શરૂ કરાયેલ FASTag વાર્ષિક પાસ મુસાફરો માટે કેટલીક જગ્યાએ ઉપયોગી સાબિત થતો નથી. ₹3,000નો આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય છે, પરંતુ મુંબઈ-પુણે એક્સપ્રેસવે, સમૃદ્ધિ મહામાર્ગ, યમુના એક્સપ્રેસવે, આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સહિત અનેક રાજ્ય સંચાલિત માર્ગો પર માન્ય નથી. કારણ કે આ માર્ગોની અલગ ટોલ સિસ્ટમ છે. આવા રૂટ પર ટોલની રકમ સીધી નિયમિત FASTag એકાઉન્ટમાંથી કપાશે. તેથી વાર્ષિક પાસ ધરાવતા મુસાફરોએ પણ પોતાના FASTagમાં પૂરતું બેલેન્સ જાળવવું જરૂરી છે.
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓને નર્મદા જિલ્લામાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ AAP નેતાઓ અને કોંગ્રેસે ભાજપ સરકાર પર કાવતરાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આને 'ED પાર્ટી'નું ષડયંત્ર ગણાવી કહ્યું કે આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે. AAP હાઈકોર્ટમાં અપીલ કરશે.
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વહીવટી કેડરમાં 'સહાયક સીનિયર કલાર્ક' ની કુલ ૨૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો આગામી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવાર કોઈપણ શાખામાં ૫૦% ગુણ સાથે સ્નાતક હોવાની સાથે વહીવટી કેડરનો ૩ વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદા ૧૮ થી ૩૮ વર્ષની રહેશે. પસંદગી પામનારને પ્રથમ ૩ વર્ષ માટે ₹૨૬,૦૦૦ ફિક્સ માસિક પગાર મળશે અને સામાન્ય વર્ગ માટે અરજી ફી ₹૫૦૦ તેમજ અનામત વર્ગ માટે ₹૨૫૦ નક્કી કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ દહેજની મોટી માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા મહિનાઓમાં જ ઝઘડા શરૂ થયા બાદ, સાસરિયાંઓએ પરિણીતાના પિતા પાસે 1 કરોડ રૂપિયા રોકડા અથવા નવું મકાન અને પતિને દર મહિને 3 લાખ રૂપિયાનો પગાર માંગ્યો હતો. આ ઉપરાંત, પરિણીતાના 105 તોલા સોનાના દાગીના પરત આપવાનો ઇનકાર કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના પગલે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડના કલરનો વ્યવસાય કરતી ‘શ્રીજી કલર કેમ’ કંપની સાથે ₹૬૮.૦૮ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ‘જલારામ ડાયસ્ટફ’ નામે ધંધો કરતા પરિચિત વેપારી જયમીન પ્રવીણભાઈ ઠક્કરે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ₹૭૫.૮૩ લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો, જેમાંથી ₹૫૪.૦૮ લાખ ચૂકવ્યા નહોતા. આ ઉપરાંત, ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના બહાને પોતાના અને પત્નીના ખાતામાં ₹૨૦ લાખ પડાવી તેમાંથી ₹૧૪ લાખ ઓળવી ગયા હતા. બાકી નીકળતી કુલ રકમ પરત ન આપતા કંપનીના મેનેજર ગોપાલભાઈ ભરવાડે આરોપી જયમીન ઠક્કર અને તેમની પત્ની વિરૂદ્ધ નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં 12 દિવસના વિલંબ બાદ ચોમાસાનું આગમન થયું અને ધોધમાર વરસાદ શરૂ થયો. તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. દેશમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 43% ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3-4 દિવસ પછી અને દિલ્હી, હરિયાણા, પંજાબમાં જુલાઈ સુધી રાહ જોવી પડશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારની સરખામણીએ આજે ચાંદી ₹૧૦,૫૬૬ ઘટીને ₹૨.૨૭ લાખ પ્રતિ કિલો અને ૨૪ કેરેટ સોનું ₹૨,૫૨૨ ઘટીને ₹૧.૪૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાલુ મહિનામાં સોનામાં ₹૧૦,૭૪૮ અને ચાંદીમાં ₹૩૬,૦૧૫ નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સરકારે વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડવા માટે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૬% થી વધારીને ફરી ૧૫% કરી દીધી છે, જેમાં કસ્ટમ ડ્યુટી અને સેસનો સમાવેશ થાય છે.
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જ્યાં ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા સપ્લાય કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ ચલાવી રહી હતી. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી, જે અગાઉ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો, તેણે ડ્રાઈવરો સાથે મળી અસલી પ્લાઝમા ચોરીને તેની જગ્યાએ સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા ગોઠવી દેતો હતો. આ ચોરાયેલા અસલી પ્લાઝમાને બ્લડ બેન્કોમાં અડધી કિંમતે વેચી દેવામાં આવતો હતો.
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન હેઠળ ૩૯૦ બાળકોનું નામાંકન થયું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના જીવનનું ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને નામાંકન દર વધ્યો છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ કરાયું.
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
Tata એ રજૂ કર્યું નવું મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ!
Tata એસેટ મેનેજમેન્ટે એક નવું ફંડ ઓફરિંગ (NFO), Tata Multi-Sector Passive FoF લોન્ચ કર્યું છે. આ ફંડ રોકાણકારોને એક જ જગ્યાએ અનેક સેક્ટર્સમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. તે ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે રોકાણકારોને લવચીકતા પ્રદાન કરે છે. આ ફંડ સીધા શેરોમાં રોકાણ કરવાને બદલે વિવિધ ક્ષેત્ર-કેન્દ્રિત ઇન્ડેક્સ ફંડ્સ અને ETF માં રોકાણ કરશે. ઓછી કિંમત અને ડાયનેમિક એપ્રોચ તેના મુખ્ય ફાયદા છે, જે રોકાણકારોને બજારના વલણોના આધારે લાભ મેળવવામાં મદદ કરશે.
Tata એ રજૂ કર્યું નવું મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ!
મારુતિ e-Vitara ઇલેક્ટ્રિક કાર થઈ મોંઘી!
મારુતિ સુઝુકી e-Vitara ઇલેક્ટ્રિક SUV ની કિંમતમાં વધારો થયો છે, ખાસ કરીને ટોપ વેરિઅન્ટ્સ વધુ મોંઘા થયા છે. બેઝ Delta વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹15.99 લાખ યથાવત છે. Zeta વેરિઅન્ટ ₹30,000 વધીને ₹17.49 લાખ અને Alpha વેરિઅન્ટ ₹20,000 વધીને ₹19.79 લાખ થયું છે. Battery-as-a-Service (BaaS) મોડેલમાં પણ ભાવ વધ્યા છે. Delta BaaS ₹10.99 લાખ, Zeta BaaS ₹11.99 લાખ અને Alpha BaaS ₹14.29 લાખ થયું છે.
મારુતિ e-Vitara ઇલેક્ટ્રિક કાર થઈ મોંઘી!
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
કચ્છના અદાણી મુન્દ્રા એરપોર્ટે સ્ટાર એર સાથે ભાગીદારીમાં મુંબઈ અને ગોવા માટે પ્રથમ ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે મુન્દ્રા હવે હિંડન, સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ સહિત કુલ 8 શહેરો સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મેળવશે. 1,900 મીટર લાંબા રનવે અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટ મુસાફરી, વેપાર, લોજિસ્ટિક્સ અને પર્યટનને પ્રોત્સાહન આપશે. આ નવી સેવા મુન્દ્રા પોર્ટ અને SEZના આર્થિક વિકાસને વધુ ગતિ આપશે તેમજ સમગ્ર કચ્છ પ્રદેશ માટે હવાઈ પરિવહનની નવી તકો ઊભી કરશે.
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય LRD જવાન પર્વ ગોસ્વામીએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિખવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2026માં ગાંધીનગરમાં પોલીસ કર્મચારીના આપઘાતની આ બીજી ઘટના છે. સતત વધતા કાર્યભાર, માનસિક તણાવ, લાંબી ફરજ અને પરિવારથી દૂર રહેવાની પરિસ્થિતિને કારણે પોલીસ કર્મચારીઓ પર દબાણ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં માનસિક સ્વાસ્થ્ય સહાય અને કાઉન્સેલિંગ વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ કેસ 2023માં જંગલ ખાતાની જમીનના વિવાદમાં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા સાથે સંકળાયેલો છે. કોર્ટ હવે સજાની જાહેરાત કરશે, જેમાં મહત્તમ 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે 16મી જુલાઈએ યોજાશે. ભગવાનના ત્રણેય રથનું સમારકામ અને રંગરોગાન કાર્ય પૂર્ણતાના આરે છે. આ વખતે ભગવાન જગન્નાથ માટે ખાસ વૃંદાવનથી કાપડ મંગાવીને સાત જોડી વિશેષ વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રથયાત્રામાં 16 થી 18 ગજરાજ, 108 ટ્રકો અને ભજન મંડળીઓ પરંપરા મુજબ જોડાશે. સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ટેકનિકલ ખામી સામે રથના સ્પેર વ્હીલ પણ તૈયાર રખાયા છે.
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ૨૦૧૮માં સુરતના વરાછા પોલીસ મથકે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે. લાજપોર જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરોના સ્વાગત રેલી દરમિયાન ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવા બદલ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિત ૧૫૦ થી ૨૦૦ કાર્યકરો સામે ગુનો નોંધાયો હતો. સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો કોઈ ગુનાહિત ઈરાદો નહોતો અને આ કેસ ચલાવવો જાહેર હિતમાં નથી.
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
જુલાઈ 2026ની શરૂઆત સાથે, દેશમાં અનેક નાણાકીય નિયમોમાં ફેરફાર થશે, જે સામાન્ય માણસના બજેટ પર અસર કરશે. આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ હવે UIDAI દ્વારા મફત કરાશે. LPG, ATF, CNG અને PNGના ભાવમાં ફેરફારની શક્યતા છે. HDFC બેન્કના Regalia Gold Credit Card પર એરપોર્ટ લાઉન્જ સુવિધા માટે ખર્ચ મર્યાદા વધારાઈ છે. ગુજરાતમાં જુલાઈમાં બેન્કો નિયમિત રજાઓ સિવાય બંધ રહેશે નહીં, તેથી નાણાકીય કાર્યોનું આયોજન કરવું જરૂરી છે.
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમ દરમિયાન નિયાઝની પ્રસાદી લેતી વખતે બાળકો વચ્ચે થયેલી સામાન્ય ધકામુક્કીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારપીટ થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને લાકડી-પથ્થરમારો કરવાના આરોપો છે. પોલીસે BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી શાંતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
અમદાવાદ સાયબર ફ્રોડમાં હવે સિનિયર સિટીઝન્સને નિશાન બનાવાઈ રહ્યા છે. ચાંદખેડાના 70 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે બેન્ક અધિકારી તરીકે ખોટી ઓળખ આપી, પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી, તેમના બેન્ક ખાતામાંથી 39.70 લાખ રૂપિયા ડિજિટલી લૂંટી લેવાયા. વૃદ્ધની ટેકનોલોજીની ઓછી જાણકારીનો લાભ ઉઠાવી, ઠગે OTP મેળવી આ છેતરપિંડી આચરી. બાદમાં બેન્ક એકાઉન્ટ્સ બ્લોક કરાવી 1930 પર ફરિયાદ નોંધાવી છે.
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
સુરતમાં યુવક-યુવતીએ હોટલમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરતના સરથાણા ખાતે એક હોટલના રૂમમાં યુવક-યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો. જેમાં પહેલા યુવતીનું મોત થયું અને બાદમાં યુવકે પણ અંતિમ શ્વાસ લીધા. મૃતક દંપતીની ઓળખ 23 વર્ષીય માનસી ઉમરેટિયા અને 24 વર્ષીય અભય ત્રાડા તરીકે થઈ છે. બંનેએ બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલમાં જ પરિવારની સંમતિથી સગાઈ થઈ હતી. આગામી સમયમાં તેમના સામાજિક લગ્ન થવાના હતા, પરંતુ પરિવાર તરફથી તારીખ ન મળતા સામાજિક લગ્નમાં અડચણ આવવાની શંકાથી આઘાતજનક પગલું ભર્યું હોવાની શક્યતા છે.
સુરતમાં યુવક-યુવતીએ હોટલમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
સુરેન્દ્રનગરના થાન પોલીસ મથકે પત્રકાર સહિત ત્રણ શખસો સામે 75.28 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાના બહાને ફરિયાદી પાસેથી ઓળખના પુરાવા મેળવી, ખોટી સહીઓ દ્વારા પેઢી ઊભી કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ફરિયાદી, જે પંચરની દુકાન ચલાવે છે, તેની પાસે વર્ષ 2012માં પત્રકાર કાળુ ઉર્ફે ભરત દવે આવ્યો હતો. તેણે ન્યૂઝપેપરના સભ્ય બનાવવાના બહાને ફોર્મમાં સહીઓ કરાવીને ફરિયાદીના નામે શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી. 2012થી 2016 દરમિયાન, કાળુ અને તેના સાગરિતોએ ફરિયાદીની ખોટી સહીઓનો ઉપયોગ કરીને લગભગ 71 કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા, જેના કારણે ફરિયાદીને 4.27 કરોડ રૂપિયાની ઇન્કમટેક્સ નોટિસ પણ મળી.
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
લખનૌના અલીગંજમાં ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ લાગતાં ૧૫ લોકોના મોત અને ૯ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક યોજી, બેદરકારી બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. ઇમારતના સંયુક્ત માલિકો સહિત ૪ લોકોની ધરપકડ કરાઈ છે. PM અને CM દ્વારા મૃતકોના પરિજનોને આર્થિક સહાય જાહેર કરાઈ છે. બે સભ્યોની SIT ટીમ ૭ દિવસમાં રિપોર્ટ સોંપશે. મહત્વનું છે કે, આ ગેરકાયદે બાંધકામ ધરાવતી ઇમારતને ૨૦૧૬માં જ તોડી પાડવાનો આદેશ હતો, જે પછીથી પાછો ખેંચી લેવાયો હતો.
લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
પંચમહાલ GRD જવાન દ્વારા ૧૫ લાખનો દારૂ બુટલેગરને વેચ્યો
પંચમહાલ જિલ્લાના કાંકણપુર પોલીસ મથકમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં GRD જવાન પર જપ્ત કરાયેલ ૧૫.૨૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરોને વેચી મારવાનો આરોપ છે. આ મામલો પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ પરથી સામે આવ્યો છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દારૂનો મોટો જથ્થો એક ઇકો કારમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ પુરાવાના આધારે, પોલીસ મથકના GRD જવાન નરેન્દ્ર બારિયા સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પોલીસ બેડામાં ચકચાર મચાવી છે.
પંચમહાલ GRD જવાન દ્વારા ૧૫ લાખનો દારૂ બુટલેગરને વેચ્યો
જામનગરમાં પિતા-પુત્રે કર્યું 23 કરોડનું GST કૌભાંડ!
જામનગરના દરેડ GIDC ફેસ-3માંથી 'માંડવરા ટ્રેડિંગ કંપની' દ્વારા 23 કરોડ રૂપિયાનું GST કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. SGST વિભાગે બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ (ITC) મેળવવાના આરોપસર સંચાલક પિતા-પુત્ર, આયુષ સુરેશચંદ્ર શાહ અને સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહની ધરપકડ કરી છે. તેમણે વાસ્તવિક માલસામાનની હેરફેર વિના, માત્ર કાગળ પર જ અંદાજે રૂ. 23.08 કરોડની ખોટી વેરાશાખ ઊભી કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ મેગા-રેડથી વ્યાપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. SGST વિભાગ આર્થિક વ્યવહારો અને કનેક્શન્સની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.
જામનગરમાં પિતા-પુત્રે કર્યું 23 કરોડનું GST કૌભાંડ!
ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન!
ભારત અને અમેરિકા વચ્ચે રેયર અર્થ મિનરલ્સ (કિંમતી ખનીજ)ની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા માટે ઐતિહાસિક કરાર થયો છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરની આર્થિક નિર્ભરતા ઘટાડવાનો છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા (ક્વાડ દેશો) આ સેક્ટરમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે. વિદેશ મંત્રીઓએ જણાવ્યું કે, આ સહયોગ મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શૃંખલાને મજબૂત કરશે અને ચીનના વર્ચસ્વને પડકારશે, જે કટોકટી સમયે સમસ્યા ઊભી કરી શકે છે.
ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન!
ગુજરાત હાઈકોર્ટ: નિયમિત બાંધકામ રદ કરવાની સત્તા નિયુક્ત સત્તાધિકારી પાસે નથી
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, એકવાર 'ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2011' હેઠળ મંજૂર કરાયેલ પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન (ઈમ્પેક્ટ ફી)ના આદેશની સમીક્ષા કરવાની કે તેને રદ કરવાની મ્યુનિસિપલ સત્તાધિકારી પાસે કોઈ કાનૂની સત્તા નથી. જસ્ટિસ નિરલ આર. મહેતાએ અમદાવાદના સ્વસ્તિક કોમ્પલેક્ષના રેગ્યુલરાઈઝેશન રદ કરતો મ્યુનિસિપલ કોર્પોરેશનનો આદેશ રદ કર્યો. કોર્ટે કહ્યું કે, કલમ 8 સત્તાધિકારીને ભૂતકાળના આદેશને ફરીથી ખોલવાની સત્તા આપતી નથી.
ગુજરાત હાઈકોર્ટ: નિયમિત બાંધકામ રદ કરવાની સત્તા નિયુક્ત સત્તાધિકારી પાસે નથી
ગુજરાત વરસાદમાં બન્યું 'ડ્રાય સ્ટેટ', હજુ 84 ટકાની ઘટ!
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગમનની રાહ જોવાઈ રહી છે, પરંતુ અત્યાર સુધી વરસાદની 84% ઘટ નોંધાઈ છે, જે ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત વરસાદની ઘટ ધરાવતું બીજું રાજ્ય બન્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, દક્ષિણ-પશ્ચિમ પવનોની નબળાઈ અને વાતાવરણમાં અનુકૂળ પરિબળોના અભાવે ચોમાસાની પ્રગતિ ધીમી પડી છે, જે લગભગ બે અઠવાડિયા સુધી અટકી ગઈ છે. જોકે, હવે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે અને ચોમાસું દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 થી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં, ત્યારબાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સક્રિયતાની સંભાવના છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ 46 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.
ગુજરાત વરસાદમાં બન્યું 'ડ્રાય સ્ટેટ', હજુ 84 ટકાની ઘટ!
ગીરમાં સિંહોના મોત: વન વિભાગની પોલ ખુલવાનો ડર?
ગુજરાતના ગૌરવ સમા ગીરના જંગલમાં તાજેતરમાં 8 થી વધુ એશિયાઈ સિંહોના રહસ્યમય મોત બાદ વન વિભાગ અને સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી પહોંચેલા આ મામલે, સિંહોના મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, 'કૅનાઇન ડિસ્ટેમ્પર વાયરસ' (CDV) ને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. જોકે, સરકાર દ્વારા રિપોર્ટ જાહેર ન કરવાથી વન્યજીવ પ્રેમીઓમાં રોષ છે. નિષ્ણાતોના મતે, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે.
ગીરમાં સિંહોના મોત: વન વિભાગની પોલ ખુલવાનો ડર?
ગુજરાતમાં ‘ટ્રફ’ને કારણે મધ્ય અને દક્ષિણમાં વરસાદી માહોલ
ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. એક મજબૂત વરસાદી ‘ટ્રફ’ પસાર થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર અને સુરતના ઉમરપાડામાં 2-2 ઈંચ પાણી વરસ્યું. નવસારી, નર્મદા અને તાપીમાં પણ ભારે વરસાદ થયો. હવામાન વિભાગે આગામી કલાકોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.