લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
Published on: 23rd June, 2026

લખનૌના અલીગંજમાં ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ લાગતાં ૧૫ લોકોના મોત અને ૯ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક યોજી, બેદરકારી બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. ઇમારતના સંયુક્ત માલિકો સહિત ૪ લોકોની ધરપકડ કરાઈ છે. PM અને CM દ્વારા મૃતકોના પરિજનોને આર્થિક સહાય જાહેર કરાઈ છે. બે સભ્યોની SIT ટીમ ૭ દિવસમાં રિપોર્ટ સોંપશે. મહત્વનું છે કે, આ ગેરકાયદે બાંધકામ ધરાવતી ઇમારતને ૨૦૧૬માં જ તોડી પાડવાનો આદેશ હતો, જે પછીથી પાછો ખેંચી લેવાયો હતો.