જેન-ઝીની 70 ટકા સેલેરી બિલ, કરિયાણા અને ફૂડ પાછળ ખર્ચાય છે
જેન-ઝીની 70 ટકા સેલેરી બિલ, કરિયાણા અને ફૂડ પાછળ ખર્ચાય છે
Published on: 13th August, 2026

ભારતમાં નોકરી કરતા જેન-ઝી, જેમને અનુભવ અને લાઈફસ્ટાઈલ પ્રેમી માનવામાં આવે છે, તેમની આવકનો મોટો હિસ્સો રોજિંદા ખર્ચાઓમાં જાય છે. એક રિપોર્ટ મુજબ, જેન-ઝીની માસિક આવકનો ૭૦ ટકા હિસ્સો બિલ, કરિયાણા અને ફૂડ પાછળ ખર્ચાય છે. ૫.૨ લાખથી વધુ જેન-ઝી યુઝર્સના યુપીઆઈ વ્યવહારોના સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, બિલ પેમેન્ટ અને સબસ્ક્રિપ્શન ૨૦.૧%, કરિયાણા ૧૫.૭%, ફાઈનાન્શિયલ સર્વિસ ૧૨.૨%, શોપિંગ ૧૧.૯% અને ફૂડ ૧૧.૫% જેટલો ખર્ચ થાય છે. આ પાંચ કેટેગરી મળીને કુલ ૭૦% ખર્ચ દર્શાવે છે, જે તેમની જવાબદારીઓ પ્રત્યેની સભાનતા દર્શાવે છે. ટ્રાવેલ અને એક્સપિરિયન્સ પર માત્ર ૫% ખર્ચ થાય છે.