અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો: ઇમરજન્સી સેવા પણ મોંઘી
અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો: ઇમરજન્સી સેવા પણ મોંઘી
Published on: 12th June, 2026

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત ફાયર બ્રિગેડ સેવાઓના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર થયેલા આ નિર્ણય બાદ, ઔદ્યોગિક એકમો અને શહેર બહારના વિસ્તારોમાં આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડને બોલાવવા પર નવો ચાર્જ લાગુ પડશે. 15 વર્ષ બાદ થયેલા આ ફેરફાર મુજબ, 8 કલાક માટે લઘુતમ રૂ. 1600 ચાર્જ લેવાશે, જે અગાઉ રૂ. 300 થી રૂ. 1000 હતો. શહેરમાં થતી ઘટનાઓ માટે નાગરિકો પાસેથી કોઈ ચાર્જ લેવાશે નહીં.