હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા!
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા!
Published on: 12th August, 2026

FSSAI દ્વારા પાન મસાલાના પેકેજિંગ નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે પાન મસાલા પ્લાસ્ટિકના પાઉચમાં નહીં વેચાય. કંપનીઓએ પ્લાસ્ટિક-મુક્ત કાગળ, ટીન અથવા કાચ જેવી સુરક્ષિત સામગ્રીનો ઉપયોગ કરવો ફરજિયાત છે. આ નિયમ તમામ પ્રકારના પાઉચ પર લાગુ પડશે. પોલિથિન, પોલિએસ્ટર, પીવીસી જેવા કૃત્રિમ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું પર્યાવરણને સુરક્ષિત રાખવા અને પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે લેવાયું છે. આ નિયમો પાન મસાલાના વેચાણ પર નહીં, પરંતુ ફક્ત તેના પેકેજિંગ પર લાગુ પડે છે.