GSRTCના ભાડાંમાં મોટો ફેરફાર; 50% સુધી રાહત
GSRTCના ભાડાંમાં મોટો ફેરફાર; 50% સુધી રાહત
Published on: 19th August, 2026

રાજ્યમાં દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 'દૈનિક મુસાફર પાસ યોજના'માં લોકહિતલક્ષી સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, આ યોજનામાં ભાડા રાહત 50 ટકા સુધી વધારવામાં આવી છે. માસિક પાસ ધારકોએ હવે 18 દિવસને બદલે ફક્ત 15 દિવસનું ભાડું ચૂકવવું પડશે, જ્યારે ત્રિમાસિક પાસ ધારકોએ 54 દિવસને બદલે 45 દિવસનું ભાડું ભરવાનું રહેશે. આ નિર્ણયથી દરરોજ મુસાફરી કરતા 2.5 લાખથી વધુ લોકોને આર્થિક લાભ થશે.