ટાટાગૃપ પર ''ચન્દ્રા''નું ગ્રહણ ત્રણ દિવસમાં 77,000 કરોડનું ધોવાણ
ટાટાગૃપ પર ''ચન્દ્રા''નું ગ્રહણ ત્રણ દિવસમાં 77,000 કરોડનું ધોવાણ
Published on: 17th August, 2026

ટાટા ગ્રુપના ચેરમેન એન. ચન્દ્રશેખરનનું આગામી ફેબ્રુઆરીમાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ ફરીથી નિયુક્તિ ન માંગવાનો નિર્ણય કોર્પોરેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ટાટા ગ્રુપમાં ચન્દ્રશેખરનનો પ્રભાવ નોંધપાત્ર રહ્યો છે અને તેમના નિર્ણયની અસર બજારમાં પણ જોવા મળી છે. ગયા ગુરુવાર અને શુક્રવારે ટાટા ગ્રુપની કંપનીઓના શેરમાં આશરે ₹77,000 કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટ્યું હતું. ટાટા ટ્રસ્ટમાં ત્રીજી ટર્મ માટે સર્વાનુમતી ન મળતાં ચન્દ્રશેખરને ગ્રુપ છોડવાની તૈયારી દર્શાવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.