ભારત-UK CETA હેઠળ સૌરાષ્ટ્રનું પ્રથમ નિકાસ કન્ટેનર UK માટે રવાના
ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે ઐતિહાસિક કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) અમલમાં આવતાં સૌરાષ્ટ્રના નિકાસ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે. આ કરાર હેઠળ, રાજકોટ સ્થિત અન્નપૂર્ણા યુનિવર્સલ ફૂડ્સ પ્રા. લિ. દ્વારા રૂ. 25 લાખના ડ્રાય સ્નેક્સનું 40 ટનનું પ્રથમ કન્ટેનર યુકે જવા રવાના થયું છે. ડીજીએફટી (DGFT)ના સંયુક્ત નિયામક રોહિત સોનીએ આ પ્રસંગે લીલી ઝંડી આપી કન્ટેનરને પ્રસ્થાન કરાવ્યું. આ CETA કરાર હેઠળ યુકેમાં ભારતમાંથી નિકાસ થતી 99 ટકા પ્રોડક્ટ્સ પર આયાત જકાત નાબૂદ કરવામાં આવી છે.
ભારત-UK CETA હેઠળ સૌરાષ્ટ્રનું પ્રથમ નિકાસ કન્ટેનર UK માટે રવાના
વડોદરામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથાયાત્રા
વડોદરામાં ભગવાન જગન્નાથજીની ૪૫મી ભવ્ય રથાયાત્રા આવતીકાલે અષાઢી બીજે નીકળશે. આ યાત્રા ઇસ્કોન દ્વારા સ્ટેશન પાસે હિરક બાગથી શરૂ થઈ પોલોગ્રાઉન્ડ બરોડા સ્કૂલ સુધી પહોંચશે. શાંતિપૂર્ણ સંપન્નતા માટે ૩૦૦૦થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. રથ અને સમગ્ર રૂટ પર ડોગ સ્કવોડ દ્વારા સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. શહેરના અનેક રસ્તાઓ બંધ રહેવાની શક્યતા હોવાથી જરૃર હોય તો જ અવરજવર કરવા જનતાને અપીલ છે. ખોટી અફવાઓથી દૂર રહેવા અને સાયબર સેલ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે.
વડોદરામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથાયાત્રા
પેટ્રોલ-ડીઝલની ગેરકાયદે હેરાફેરીના કેસના આરોપીને PBM હેઠળ જેલમાં મોકલ્યાે
પેટ્રોલ-ડીઝલના ગેરકાયદે ધંધો કરવા બદલ પકડાયેલા આરોપીને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયાવર્ષે પોલીસે પેટ્રોલ-ડીઝલનો ગેરકાયદે જથ્થો રાખી કોઇ પણ પ્રકારની ફાયર સેફ્ટિ નહિ રાખી લોકોની જિંદગી જોખમમાં મુકવા બદલ શકીલ સમુનભાઇ રંગવાલા(મયૂર એપાર્ટમેન્ટ સામે,ફતેગંજ) સામે પોલીસે બે ગુના નોંધ્યા હતા.જે કેસમાં આવશ્યક ચીજવસ્તુઓના કાળા બજાર અટકાવવા અનેકૃત્રિમ અછત ઉભી કરી નફાખોરી કરવાની પ્રવૃત્તિ બદલ આરોપી સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટરને દરખાસ્ત મોકલવામાં આવી હતી, અને મંજૂરી મળતાં આરોપીને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલની ગેરકાયદે હેરાફેરીના કેસના આરોપીને PBM હેઠળ જેલમાં મોકલ્યાે
વડોદરામાં ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપસર કપૂરાઈ પોલીસે ૨૪ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ બનાવમાં પોલીસે યુવક સામે બળાત્કાર અને પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીરાનો આરોપી સાથે સોશ્યલ મીડિયા મારફતે પરિચય થયો હતો. ત્યારબાદ આરોપીએ મારમારી ધમકી આપી સગીરા સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને FSL તપાસ માટે કાર કબજે લીધી છે.
વડોદરામાં ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ!
વડોદરાના ડભોઇ રોડ વિસ્તારની ૩૨ વર્ષીય મહિલા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલક રવિ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા પછી હાઉસકીપિંગનું કામ કરતી મહિલાની રિક્ષાચાલક સાથે મુસાફરી દરમિયાન ઓળખાણ થઈ હતી. ૨૫ જૂને લગ્નની લાલચ આપી રાજપીપળા નજીક લઈ જઈ દુષ્કર્મ કર્યું. ત્યારબાદ ૧૨ જુલાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી રિક્ષામાં ફરી દુષ્કર્મ આચર્યું. મહિલાએ કપુરાઈ Police સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ!
14 વર્ષની સગીરા દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની સજા
અમદાવાદના વટવા વિસ્તારમાં 4 વર્ષ પહેલાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને ગર્ભવતી બનાવવાના ગંભીર કેસમાં સ્પેશિયલ POCSO કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી કિશન ચૌહાણ સહિત મદદ કરનાર બે સાગરીતો અજિત કુમાર પ્રસાદ અને ગ્યાનદેવ માંજીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 2022માં શાળાએથી અપહરણ કરાયેલી સગીરાને આરોપીઓએ વિવિધ રાજ્યોમાં ફેરવી શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. નવજાત બાળકના DNA સેમ્પલ મુખ્ય આરોપી સાથે મેચ થતાં ગુનો સાબિત થયો. કોર્ટે ત્રણેયને 20-20 વર્ષની સજા અને ભોગ બનનારને ₹5,00,000 વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
14 વર્ષની સગીરા દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની સજા
રથયાત્રા સમયે મેઘરાજા જગન્નાથજી પર કરશે જળાભિષેક?
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થવાના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને કારણે રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની IMD દ્વારા આગાહી કરવામાં આવી છે. 16 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, અને આ આગાહી જોતાં રથયાત્રા દરમિયાન વરસાદી માહોલ સર્જાવાની અને જાણે મેઘરાજા જગન્નાથજી પર જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે.
રથયાત્રા સમયે મેઘરાજા જગન્નાથજી પર કરશે જળાભિષેક?
ભારત-મ્યાનમાર NSAની દિલ્હીમાં ગુપ્ત બેઠક
ભારતના NSA અજીત ડોભાલ અને મ્યાનમારના સુરક્ષા વડા યૂ તિન આંગ સાન વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ ગુપ્ત બેઠક યોજાઈ. આ બેઠકમાં સરહદ સુરક્ષા, ઉગ્રવાદ, ડ્રગ્સની હેરાફેરી અને મ્યાનમારમાં ચીનના વધતા પ્રભાવને રોકવા જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. ફ્રી મૂવમેન્ટ રિજીમ (FMR) નાબૂદ અને બોર્ડર ફેન્સિંગ જેવા નિર્ણયો વચ્ચે આ મુલાકાત સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાઈ રહી છે. આ સંવાદ ચીન માટે ચિંતાનો વિષય બન્યો છે.
ભારત-મ્યાનમાર NSAની દિલ્હીમાં ગુપ્ત બેઠક
કેબિનેટે સેમિકન્ડક્ટર, મોબાઈલ, રેલવે સહિત 6 મોટા નિર્ણયો લીધા
કેન્દ્રીય મંત્રીમંડળે સેમિકન્ડક્ટર, મોબાઈલ ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુરિયા અને રેલવે ક્ષેત્રે અનેક મહત્વના નિર્ણયો મંજૂર કર્યા છે. ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કા માટે ₹1.27 લાખ કરોડ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ PLI માટે ₹62,500 કરોડ મંજૂર થયા છે. વારાણસીમાં છ લેન એલિવેટેડ કોરિડોર માટે ₹14,447 કરોડ ફાળવાયા છે. નવી રોકાણ નીતિ હેઠળ યુરિયા ઉત્પાદન વધારાશે, જ્યારે ₹3,907 કરોડના બે રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. આ નિર્ણયો નિકાસ અને રોજગારીને વેગ આપશે.
કેબિનેટે સેમિકન્ડક્ટર, મોબાઈલ, રેલવે સહિત 6 મોટા નિર્ણયો લીધા
અમદાવાદમાં કાલે રથયાત્રા: 31,000 થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે 31 હજારથી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ તૈનાત રહેશે. 16 કિમી લાંબી યાત્રામાં ત્રણ મુખ્ય રથ, 18 હાથી, 103 સુશોભિત ટ્રકો અને 30 અખાડા જોડાશે. સુરક્ષા માટે રૂટને 1,397 પોઇન્ટમાં વહેંચાયો છે. 100થી વધુ ડ્રોન, AI ફેસ રેકોગ્નિશન કેમેરા, GPS, એન્ટી-ડ્રોન ગન અને AI વોઇસ બોટનો ઉપયોગ થશે. સાયબર ક્રાઇમ ટીમ સોશિયલ મીડિયા પર અફવાઓનું સતત મોનિટરિંગ કરશે.
અમદાવાદમાં કાલે રથયાત્રા: 31,000 થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત
PoK કબજે કરેલી જમીન છે: પાકિસ્તાન સામે કાશ્મીરીઓનો રોષ
પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK)માં 'આઝાદ કાશ્મીર'ના પાકિસ્તાની પ્રોપેગૅન્ડાનો પર્દાફાશ થયો છે. રાવલકોટમાં JAACના નેતા સરદાર અમન ખાને સ્પષ્ટ કહ્યું કે, 'આ કબજે કરાયેલી ગુલામ જમીન છે.' સુરક્ષા દળો દ્વારા કરાયેલા ગોળીબારમાં એક ક્રિકેટર સહિત 6 નાગરિકોના મોત બાદ સ્થિતિ વણસી છે. JAAC એ આંદોલન તીવ્ર બનાવવા મહિલાઓ અને બાળકોને પણ મેદાનમાં ઉતરવાની અપીલ કરી છે, જેનાથી પાકિસ્તાની સુરક્ષા દળોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
PoK કબજે કરેલી જમીન છે: પાકિસ્તાન સામે કાશ્મીરીઓનો રોષ
94 વર્ષના મફતભાઈ ખલાસે વર્ણવ્યો બ્રિટિશ સમયનો રથયાત્રાનો ઇતિહાસ
અમદાવાદમાં આ વર્ષે 149મી ઐતિહાસિક રથયાત્રા યોજાશે. છેલ્લા આઠ દાયકાથી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામના રથોનું સંચાલન કરતા ખલાસ સમાજના પ્રમુખ, 94 વર્ષીય મફતલાલ મંગળદાસ ખલાસે બ્રિટિશ કાળના કોમી રમખાણો અને માધવસિંહ સોલંકી સરકારના સમયની રથયાત્રાના રોચક સંસ્મરણો વાગોળ્યા છે. તેમણે 14 વર્ષની નાની ઉંમરે રથયાત્રાનું સુકાન સંભાળ્યું અને 1946ના રમખાણો વખતે બ્રિટિશ ઘોડેસવારો દ્વારા સુરક્ષા હેઠળ રથ પસાર કરાવવાની ઘટના અને મંજૂરી ન મળતાં બેરિકેડ્સ તોડીને રથ દોડાવવાના સાહસનું વર્ણન કર્યું.
94 વર્ષના મફતભાઈ ખલાસે વર્ણવ્યો બ્રિટિશ સમયનો રથયાત્રાનો ઇતિહાસ
ICC રેન્કિંગ: ઇંગ્લેન્ડ સામે જીત સાથે જ શુભમન નંબર-1 તાજની બિલકુલ નજીક!
બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડેમાં ભારતે જીત મેળવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે. કેપ્ટન શુભમન ગિલે મુશ્કેલ સ્થિતિમાં 75 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પ્રદર્શનથી ICC ODI રેન્કિંગમાં ગિલને 12 પોઇન્ટનો ફાયદો થતાં તેના 803 રેટિંગ પોઇન્ટ થયા છે અને નંબર-1 ડેરિલ મિચેલથી માત્ર 11 પોઇન્ટ પાછળ છે. 16 જુલાઈની કાર્ડિફ વનડેમાં ગિલ પાસે નંબર-1 બેટ્સમેન બનવા અને વિદેશમાં શ્રેણી જીતવાની સુવર્ણ તક છે.
ICC રેન્કિંગ: ઇંગ્લેન્ડ સામે જીત સાથે જ શુભમન નંબર-1 તાજની બિલકુલ નજીક!
ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું!
વાવ તાલુકાના દેથળી ગામ નજીક ડોડગામ ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કેનાલ તૂટવાથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં જુવાર સહિતના પાક બરબાદ થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હલકી ગુણવત્તાના કામને કારણે આ સમસ્યા વારંવાર સર્જાય છે. ખેડૂતોએ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે સમારકામની માગ કરી છે. આ ઘટનાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું!
Hero Vida VX2 ના કયા મોડેલની ખરીદી વધુ ફાયદાકારક છે?
Hero Vida VX2 ઇલેક્ટ્રિક સ્કૂટરના વિવિધ મોડેલો તમારી જરૂરિયાત અને બજેટને અનુરૂપ ઓફર કરવામાં આવ્યા છે. દરેક વેરિઅન્ટમાં બેટરી, રેન્જ, ફીચર્સ અને કિંમતમાં ભિન્નતા હોય છે. નાના અંતર માટે બેઝ વેરિઅન્ટ, મધ્યમ મુસાફરી માટે મધ્યમ વેરિઅન્ટ અને લાંબા અંતર તેમજ વધુ ફીચર્સ માટે ટોચનું વેરિઅન્ટ પસંદ કરી શકાય છે. રીમુવેબલ બેટરી ચાર્જિંગની સુવિધા વધારે છે. ફીચર્સની દ્રષ્ટિએ, ટોચનું વેરિઅન્ટ ડિસ્પ્લે, કનેક્ટિવિટી, રાઇડિંગ મોડ્સ, વધુ સારી બ્રેકિંગ અને વધારાની સુવિધાઓ પ્રદાન કરે છે, જ્યારે એન્ટ્રી-લેવલ મોડેલ કિંમત ઓછી રાખવા માટે આવશ્યક સુવિધાઓ પ્રદાન કરે છે.
Hero Vida VX2 ના કયા મોડેલની ખરીદી વધુ ફાયદાકારક છે?
ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ચાબહાર પોર્ટ પર અમેરિકાનો ભીષણ હુમલો
ઈરાનના ચાબહાર પોર્ટ પર અમેરિકા દ્વારા કરાયેલા બોંબમારામાં મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવર તબાહ થયો છે. એક સપ્તાહમાં આ બીજો હુમલો છે, જેમાં નાગરિક સુવિધાઓને નિશાન બનાવાઈ છે. આ પોર્ટ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે, જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને પાકિસ્તાનને બાયપાસ કરીને જોડે છે. ભારતે અહીં મોટું રોકાણ કર્યું છે અને તાજેતરમાં જ 10 વર્ષ માટે ઓપરેશનલ કરાર કર્યો છે. આ હુમલાથી ભારતની વિદેશ નીતિ અને વેપારી સંબંધો પર અસર થવાનો ભય છે, તેમજ તેલ પુરવઠાની સ્થિતિ પણ ચિંતાજનક બની શકે છે.
ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ચાબહાર પોર્ટ પર અમેરિકાનો ભીષણ હુમલો
ચીનનો GDP ગ્રોથ 3.5 વર્ષના નીચા સ્તરે, આર્થિક સત્તા સામે પ્રશ્નાર્થ!
ચીનનો આર્થિક વિકાસ દર છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સૌથી ધીમો રહ્યો છે, જે અગાઉના અંદાજો કરતાં ઘણો ઓછો છે. નબળા ડોમેસ્ટીક વપરાશને કારણે ઉત્પાદન અને નિકાસ પર અસર પડી છે, જેના લીધે ચીનના આર્થિક મોડલની સ્થિરતા સામે ચિંતાઓ વધી ગઈ છે. બીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ ઘટીને 4.3% થયો છે, જે વર્ષના 4.5% થી 5.0% ના લક્ષ્યાંકથી પણ નીચે છે. આંતરિક બજારમાં ભારે મંદી, રિટેલ વેચાણમાં માત્ર 1.0% વધારો, અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.3% નો વધારો દર્શાવે છે કે ચીનનું અર્થતંત્ર સ્થાનિક માંગને બદલે વૈશ્વિક બજાર પર વધુ નિર્ભર છે.
ચીનનો GDP ગ્રોથ 3.5 વર્ષના નીચા સ્તરે, આર્થિક સત્તા સામે પ્રશ્નાર્થ!
યુક્રેનનો બદલો: રશિયાના જૂના યુદ્ધ જહાજ 'ઇઝુમરુદ'ને દરિયાઈ ડ્રોનથી ડુબાડ્યું
રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનની નૌસેનાએ વ્યૂહાત્મક હુમલો કરી રશિયાના FSB બૉર્ડર પેટ્રોલિંગ જહાજ 'ઇઝુમરુદ'ને દરિયાઈ ડ્રોન દ્વારા સમુદ્રમાં ડૂબાડી દીધું છે. આ હુમલામાં અનેક રશિયન સૈનિકો અને કર્મચારીઓ હતાહત થયા હોવાનું કહેવાય છે. સેટેલાઇટ તસવીરોમાં જહાજના સ્ટારબોર્ડ સાઇડ પર મોટું ગાબડું સ્પષ્ટ દેખાય છે. આ ઓપરેશન બાદ યુક્રેને ચેતવણી આપી છે કે બદલો અનિવાર્ય હતો અને આગામી સમયમાં રશિયા પર વધુ હુમલા થશે. આ ઘટના દરિયાઈ મોરચે યુક્રેનની વધતી તાકાત દર્શાવે છે.
યુક્રેનનો બદલો: રશિયાના જૂના યુદ્ધ જહાજ 'ઇઝુમરુદ'ને દરિયાઈ ડ્રોનથી ડુબાડ્યું
કોંગોમાં ઇબોલાનો ભયાનક પ્રકોપ
કોંગોમાં ઇબોલા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેમાં 2,011 કેસ નોંધાયા છે અને 754 લોકોના મોત થયા છે. આ ઇબોલાનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેલાતો પ્રકોપ ગણી શકાય. આરોગ્ય અધિકારીઓ માટે ચેપગ્રસ્ત લોકોના સંપર્કો શોધવાનું કાર્ય ખૂબ જ પડકારજનક બની ગયું છે, અને હાલમાં માત્ર 67% સંપર્કોની જ ઓળખ થઈ શકી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ જણાવ્યું કે 80% નવા કેસ અજાણ્યા ટ્રાન્સમિશન સોર્સથી આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. બુંડીબુગ્યો સ્ટ્રેન માટે કોઈ પ્રમાણિત વેક્સિન કે અસરકારક ઈલાજ ઉપલબ્ધ નથી.
કોંગોમાં ઇબોલાનો ભયાનક પ્રકોપ
ICCના નવા નિયમો: હવે ચેમ્પિયન બનવું લોઢાના ચણા ચાવવા જેવું!
ICCએ પુરુષ વનડે અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફાર કર્યા છે. હવે મેચોની શરૂઆતથી જ રોમાંચ જળવાઈ રહેશે. વનડે વર્લ્ડ કપમાં 'સુપર સિરીઝ' અને 'સુપર-7'નો તબક્કો ઉમેરાયો છે, જ્યાં નાની ટીમો માટે ટકી રહેવું વધુ મુશ્કેલ બનશે. સુપર-7 માં પહોંચેલી 7 ટીમો એકબીજા સામે રમશે અને ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં જશે. T20 વર્લ્ડ કપમાં 'સુપર-8'ની જગ્યાએ 'સુપર-10' થશે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે 'એલિમિનેટર' મેચો રમાશે, જે IPL જેવો રોમાંચ આપશે.
ICCના નવા નિયમો: હવે ચેમ્પિયન બનવું લોઢાના ચણા ચાવવા જેવું!
સેમિફાઇનલમાં હાર બાદ એમ્બાપ્પે: 'જીતનો શ્રેય મારો, તો હારની જવાબદારી પણ મારી'
ફીફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં સ્પેને ફ્રાન્સને 2-0થી હરાવી દીધું છે, જેના કારણે ફ્રાન્સનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું. મેચ બાદ ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પેએ નિરાશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, "જ્યારે ટીમ જીતે ત્યારે કેપ્ટનને શ્રેય મળે છે, ત્યારે હારની સંપૂર્ણ જવાબદારી પણ મારી છે." સ્પેનના મજબૂત મિડફિલ્ડ અને બે ગોલને કારણે ફ્રાન્સ મેચમાં વાપસી કરી શક્યું ન હતું. એમ્બાપ્પેએ કોચ દિદિએર ડેશાંપને સન્માનજનક વિદાય આપવા માટે ત્રીજા સ્થાન માટેની મેચ જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સેમિફાઇનલમાં હાર બાદ એમ્બાપ્પે: 'જીતનો શ્રેય મારો, તો હારની જવાબદારી પણ મારી'
ડાકોરમાં 254મી રણછોડરાયજીની ભવ્ય રથયાત્રા
ડાકોરમાં પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં નીકળતી ભગવાન રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ. મંગળા આરતી બાદ ભગવાન ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરયાત્રાએ નીકળ્યા. ચરોતર સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. 'જય રણછોડ, માખણ ચોર' નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. રથયાત્રામાં ભવ્ય રથ, પાલખી, ઘોડા, બેન્ડવાજાં અને ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રસાદ, શરબત અને ભોજનની વ્યવસ્થા કરાઈ.
ડાકોરમાં 254મી રણછોડરાયજીની ભવ્ય રથયાત્રા
PM મોદીએ પુતિનને પરમાણુ હુમલાથી રોક્યા?
વૈશ્વિક રાજદ્વારી મોરચે PM મોદી ના વધતા પ્રભાવને ઉજાગર કરતો એક અત્યંત ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ ટેઓફિલ બાર્ટોશેવસ્કીએ દાવો કર્યો છે કે, 2022ના અંતમાં Russia-Ukraine War દરમિયાન PM મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને યુક્રેન પર વ્યૂહાત્મક પરમાણુ હુમલો કરતા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું કે, PM મોદી વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાંથી એક છે જેમની સલાહને રાષ્ટ્રપ્રમુખ પુતિન ખૂબ જ ગંભીરતાથી લે છે, કારણ કે મોસ્કો સાથે ભારતના દાયકાઓ જૂના મજબૂત સબંધો છે.
PM મોદીએ પુતિનને પરમાણુ હુમલાથી રોક્યા?
સાબરકાંઠાના દેલવાડા-પોશીના રોડ પર મુસાફરો ભરેલી જીપ પલટી
સાબરકાંઠાના દેલવાડા-પોશીના માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી એક જીપે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘાટ નજીક રોડ પર પલટી મારી હતી. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા, જ્યારે 9થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધરી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા 9થી વધુ ઈજાગ્રસ્તોને પોશીના સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠાના દેલવાડા-પોશીના રોડ પર મુસાફરો ભરેલી જીપ પલટી
નેપાળ PM બાલેન શાહની પાર્ટીમાં મતભેદ
નેપાળના વડાપ્રધાન બાલેન શાહ (Balen Shah) ની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) માં આંતરિક મતભેદ વધી રહ્યા છે. સત્તાના માત્ર ચાર મહિનામાં જ પાર્ટીના સાંસદો વડાપ્રધાનથી નારાજ છે. સાંસદોનો આરોપ છે કે PM શાહ સાંસદોનું સન્માન કરતા નથી અને તેમને યોગ્ય મહત્વ આપતા નથી. આ ઉપરાંત, પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે અને સરકાર નિષ્ફળ રહી છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. RSPના સાંસદો Jagdish Kharel અને Karishma Kathariya એ સરકારની નીતિઓ, ખાસ કરીને ખેડૂતોને ખાતર આપવામાં નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
નેપાળ PM બાલેન શાહની પાર્ટીમાં મતભેદ
ભારતીયો માટે થાઈલેન્ડના વિઝા નિયમોમાં મોટો ફેરફાર
થાઈલેન્ડ ફરવા જઈ રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી (વિઝા વિના પ્રવેશ) હાલ પૂરતી ચાલુ રાખી છે, પરંતુ રોકાણનો સમયગાળો 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરી દેવાયો છે. આ નિર્ણય પ્રવાસીઓની મુસાફરીની પેટર્ન અને પર્યટન વ્યવસ્થાને ધ્યાનમાં રાખી લેવાયો છે. તાજેતરમાં પ્રસ્તાવિત નિયમોના કારણે ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી, જેના પગલે સરકારે આ સુવિધા ચાલુ રાખી છે. આ ફેરફાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે કરાયો છે.
ભારતીયો માટે થાઈલેન્ડના વિઝા નિયમોમાં મોટો ફેરફાર
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: વાટાઘાટો નહીં તો પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ પર હુમલો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરીથી વાટાઘાટોના ટેબલ પર આવવા આખરી ચેતવણી આપી છે. જો ઈરાન સંમત નહીં થાય, તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ જેવા મુખ્ય માળખાકીય સુવિધાઓ પર હુમલો કરશે. આ નિવેદન બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવ્યું છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ પર સૈન્ય કાર્યવાહી અને ગોળીબારનો સમાવેશ થાય છે. UNએ નાગરિક સુવિધાઓ પર હુમલાને War Crime ગણાવ્યો છે. ઈરાન વાટાઘાટો માટે ઝૂકવા તૈયાર નથી, જ્યારે વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલના ભાવ પર તેની અસર જોવા મળી રહી છે.
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: વાટાઘાટો નહીં તો પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ પર હુમલો
અમદાવાદમાં ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિભાવ સાથે ભોજન તૈયારીઓ પૂરજોશમાં
અમદાવાદની 149મી રથયાત્રા આગામી અષાઢી બીજ (16મી જુલાઈ)ના દિવસે યોજાવાની છે, જેના માટે ભગવાન જગન્નાથજીનું મોસાળ સરસપુર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. રથયાત્રામાં જોડાનારા લાખો ભક્તો, સાધુ-સંતો અને પોલીસ કર્મચારીઓ માટે સરસપુરના સ્થાનિક રહેવાસીઓ દ્વારા હજારો કિલો મોહનથાળ અને ફૂલવડી બનાવવામાં આવી રહ્યા છે. આ સેવા યજ્ઞમાં યુવાનો અને વડીલો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, જ્યાં અત્યારે ભોજન બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.
અમદાવાદમાં ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિભાવ સાથે ભોજન તૈયારીઓ પૂરજોશમાં
અમેરિકામાં 1960 નો નિયમ બદલાશે: વર્ષમાં ૨ વાર ઘડિયાળ બદલવાની ઝંઝટનો અંત!
અમેરિકામાં દર વર્ષે બે વાર ઘડિયાળના કાંટા બદલવાની પ્રથાનો અંત આવી શકે છે. US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ‘સનશાઇન પ્રોટેક્શન એક્ટ’ને મંજૂરી આપી છે, જે ડે-લાઇટ સેવિંગ ટાઇમને કાયમી બનાવશે. 1960 થી ચાલી આવતા આ નિયમ હેઠળ હવે શિયાળામાં પણ ઘડિયાળ આગળ રહેશે. જો કે, કેટલાક રાજ્યો અને એવિએશન સેક્ટર દ્વારા આ બિલ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ બિલ હવે સેનેટમાં જશે.
અમેરિકામાં 1960 નો નિયમ બદલાશે: વર્ષમાં ૨ વાર ઘડિયાળ બદલવાની ઝંઝટનો અંત!
MSU કેમ્પસમાં બીજા દિવસે જૂથ અથડામણ, NSUI અને ABVPની સંડોવણીની ચર્ચા
વડોદરા એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં લુખ્ખાગીરીનો માહોલ સર્જાયો છે, જ્યાં સતત બીજા દિવસે બે જૂથો વચ્ચે મારામારી થઈ છે. મંગળવારે સાયન્સ ફેકલ્ટી બાદ આજે ચં.ચી.મહેતા ઓડિટોરિયમ પાસે વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. વિદ્યાર્થીઓમાં એવી ચર્ચા છે કે આ ઘટનામાં પણ ABVP અને NSUIના કાર્યકરો સામેલ હતા. મારામારી બાદ એક યુવાનની બાઈક અધ્યાપકની કાર સાથે અથડાતા અફરાતફરી મચી હતી. ઘટનાસ્થળે સિક્યુરિટી અને પોલીસ દોડી આવ્યા હતા. આ ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઊભા કર્યા છે.
MSU કેમ્પસમાં બીજા દિવસે જૂથ અથડામણ, NSUI અને ABVPની સંડોવણીની ચર્ચા
ખજાનાની લાલચમાં કરોડપતિ વેપારીની હત્યા, ત્રણ મિત્રો પકડાયા
મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં અંધશ્રદ્ધા અને લાલચને કારણે કરોડપતિ વેપારી વિજય જૈનની હત્યાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. છેલ્લા 6 દિવસથી ગુમ થયેલા વિજય જૈનનો મૃતદેહ પરાસિયા નદી કિનારે દફનાવેલો મળ્યો હતો. પોલીસે 24 કલાકમાં વેપારીના બે નજીકના મિત્રો સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, નદી કિનારે છુપાયેલો ખજાનો મેળવવા માટે તાંત્રિક વિધિ કરીને 'બલિ' ચડાવવામાં આવી હતી. જોકે, સ્થાનિકો આ 'બલિદાન'ની થિયરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.