અમદાવાદમાં કાલે રથયાત્રા: 31,000 થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત
અમદાવાદમાં કાલે રથયાત્રા: 31,000 થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત
Published on: 15th July, 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે 31 હજારથી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ તૈનાત રહેશે. 16 કિમી લાંબી યાત્રામાં ત્રણ મુખ્ય રથ, 18 હાથી, 103 સુશોભિત ટ્રકો અને 30 અખાડા જોડાશે. સુરક્ષા માટે રૂટને 1,397 પોઇન્ટમાં વહેંચાયો છે. 100થી વધુ ડ્રોન, AI ફેસ રેકોગ્નિશન કેમેરા, GPS, એન્ટી-ડ્રોન ગન અને AI વોઇસ બોટનો ઉપયોગ થશે. સાયબર ક્રાઇમ ટીમ સોશિયલ મીડિયા પર અફવાઓનું સતત મોનિટરિંગ કરશે.