વડોદરામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથાયાત્રા
વડોદરામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથાયાત્રા
Published on: 15th July, 2026

વડોદરામાં ભગવાન જગન્નાથજીની ૪૫મી ભવ્ય રથાયાત્રા આવતીકાલે અષાઢી બીજે નીકળશે. આ યાત્રા ઇસ્કોન દ્વારા સ્ટેશન પાસે હિરક બાગથી શરૂ થઈ પોલોગ્રાઉન્ડ બરોડા સ્કૂલ સુધી પહોંચશે. શાંતિપૂર્ણ સંપન્નતા માટે ૩૦૦૦થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. રથ અને સમગ્ર રૂટ પર ડોગ સ્કવોડ દ્વારા સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. શહેરના અનેક રસ્તાઓ બંધ રહેવાની શક્યતા હોવાથી જરૃર હોય તો જ અવરજવર કરવા જનતાને અપીલ છે. ખોટી અફવાઓથી દૂર રહેવા અને સાયબર સેલ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે.