E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી!
E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી!
Published on: 26th August, 2026

E20 (ઇથેનોલ બ્લેન્ડેડ) બળતણ અંગે વાહનચાલકોની ફરિયાદોને પગલે કેન્દ્ર સરકાર હવે ઇંધણની ગુણવત્તા પર કડક નિયંત્રણો લાગુ કરવા જઈ રહી છે. વાહનોનું માઇલેજ ઘટવું અને એન્જિનના પાર્ટ્સ બગડવા જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, સરકાર હવે ક્લોરાઈડ અને ભેજ જેવા દૂષિત તત્વોને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ્સ (BIS) દ્વારા ક્લોરાઈડની 3 PPM મર્યાદાને ફરજિયાત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ નવા નિયમો પેટ્રોલ પંપ પર સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઇંધણ સુનિશ્ચિત કરશે, જેનાથી દેશભરના વાહનચાલકોને મોટી રાહત મળશે.