મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી હવે અલગ
મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી હવે અલગ
Published on: 17th August, 2026

ગુજરાતના તલાટીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી અને જવાબદારીઓ સત્તાવાર રીતે અલગ કરી છે. આ અંગે નવો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ફેરફારથી વહીવટી કામગીરીમાં થતી અસમંજસતા અને ઓવરલેપિંગની સમસ્યાઓનો અંત આવશે. મહેસૂલી તલાટી જમીન મહેસૂલ અને રેકર્ડ સંબંધિત કામગીરી સંભાળશે, જ્યારે તલાટી કમ-મંત્રી ગ્રામ પંચાયતના સચિવ તરીકે સરકારી યોજનાઓ, વિકાસકાર્યો અને પ્રમાણપત્રો જેવી કામગીરી જોશે.