અમદાવાદ નજીક કરકથલ ગામના રેલવે લાઈનમેને ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
અમદાવાદ નજીક કરકથલ ગામના રેલવે લાઈનમેને ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
Published on: 12th June, 2026

અમદાવાદ નજીક વિરમગામ તાલુકાના કરકથલ ગામમાં રેલવેમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય લાઈનમેન મયૂરકુમાર તળસીભાઇ પરમારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મયૂરકુમાર તેના છૂટાછેડા બાદ ડિપ્રેશન માં હતા. આ આઘાત સહન ન થતાં તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે. વિરમગામ રૂરલ પોલીસે એક્સિડન્ટલ ડેથ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.