રાજકોટમાં વ્યાજખોરનો અત્યાચાર, 4 લાખ આપી 20% માસિક વ્યાજ
રાજકોટમાં વ્યાજખોરનો અત્યાચાર, 4 લાખ આપી 20% માસિક વ્યાજ
Published on: 19th August, 2026

રાજકોટમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને 4 લાખ રૂપિયા 20% માસિક વ્યાજે આપ્યા બાદ વ્યાજખોરે 1.20 લાખ રૂપિયા વ્યાજ પેટે વસૂલ્યા હતા. આટલું જ નહીં, પૈસા ન ચૂકવી શકતાં યુવક પાસેથી અર્ટિગા કાર પણ બળજબરીપૂર્વક લઈ લીધી હતી. સુરક્ષા પેટે ચેક અને લખાણ પણ કરાવી લીધું હતું. યુવકની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે વ્યાજખોર દેવરાજ સોનારા અને તેના સાગરીત વિરુદ્ધ ગુજરાત મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.