અમદાવાદના કઠવાડા-સિંગરવા રોડ પરથી ગેરકાયદેસર દુકાનો અને મકાનો દૂર કરાયા
અમદાવાદના કઠવાડા-સિંગરવા રોડ પરથી ગેરકાયદેસર દુકાનો અને મકાનો દૂર કરાયા
Published on: 24th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પૂર્વ ઝોનમાં ટી.પી. રોડને ખુલ્લો કરવા માટે કઠવાડા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સઘન દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 117 અને 131 હેઠળ કઠવાડા-સિંગરવા મેઇન 30 મીટર ટી.પી. રોડને ખુલ્લો કરવા માટે કરવામાં આવી છે. આ દરમિયાન, 14 રહેણાંક, 22 કોમર્શિયલ, 1 ધાર્મિક અને 1 શૈક્ષણિક પ્રકારના દબાણો દૂર કરાયા. આ માર્ગના આયોજન અને વિકાસમાં અવરોધરૂપ બનતા દબાણોને હટાવી ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરવાનો પ્રયાસ કરાયો છે.