કાશ્મીરના વંધામા નરસંહાર અને અન્ય સંબંધિત હત્યાઓની ફરી તપાસ શરૂ
કાશ્મીરના વંધામા નરસંહાર અને અન્ય સંબંધિત હત્યાઓની ફરી તપાસ શરૂ
Published on: 24th August, 2026

1998 વંધામા નરસંહાર સહિત 23 કાશ્મીરી પંડિતોની હત્યાના બહુચર્ચિત કેસની તપાસ જમ્મુ અને કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) દ્વારા ફરી શરૂ કરાશે. આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે પંડિતોને લક્ષ્યાંક બનાવી કરાયેલી હત્યાઓના જૂના કેસો ઉકેલવાના વ્યાપક અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરાઈ છે. SIA કાશ્મીરી પંડિત નેતા ટીકા લાલ ટાપલૂ અને જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યાના કેસોની પણ તપાસ કરશે. આ પહેલા સરલા ભટ્ટ, સરવાનાંદ કૌલ પ્રેમી અને વિરેન્દ્ર કૌલના કેસ પણ ખોલ્યા હતા. હાલમાં આતંકવાદીઓ અને ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની ઓળખ કરી ભૂમિકા તપાસાઈ રહી છે.