અમદાવાદ આનંદનગર આંગણવાડીમાંથી સરકારી અનાજની ચોરી
અમદાવાદ આનંદનગર આંગણવાડીમાંથી સરકારી અનાજની ચોરી
Published on: 23rd July, 2026

ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓ માટેના સરકારી અનાજ કૌભાંડનો વધુ એક કિસ્સો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સામે આવ્યો છે. કૃષ્ણધામ આંગણવાડી-06ની તેડાગર મનિષાબહેન મીસ્ત્રી પર 24,565 રૂપિયાના સરકારી અનાજની ચોરી કરવાનો આરોપ છે. તેમણે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિની કુલ 37 બેગ ચોરી કરીને અજાણ્યા ટેમ્પોમાં વેચવા મોકલી હતી. જોકે, એક વીડિયો વાયરલ થતાં અને ટેમ્પોચાલકના ગભરાઈ જતાં અનાજનો જથ્થો પાછો આંગણવાડીમાં ઉતારવામાં આવ્યો. આ અંગે મુખ્ય સેવિકાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.