નસવાડીમાં 500 રૂપિયામાં બોગસ ST દાખલા બનાવવાનું કૌભાંડ
નસવાડીમાં 500 રૂપિયામાં બોગસ ST દાખલા બનાવવાનું કૌભાંડ
Published on: 22nd August, 2026

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં અનુસૂચિત જનજાતિ (ST)ના બોગસ દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. રતનપુરા જૂથ ગ્રામ પંચાયતના VCE સરફરાઝ વિનોદ ભીલ દ્વારા 500 રૂપિયા લઈને બોગસ દાખલા તૈયાર કરવામાં આવતા હતા. ખાપરિયા ગામના અરજદાર પ્રભુ રાઠવાએ જૂનો દાખલો પુરાવા તરીકે રજૂ કરતા મામલો ધ્યાનમાં આવ્યો. મામલતદાર કચેરીની ચકાસણીમાં દાખલો બોગસ હોવાનું બહાર આવ્યું. પોલીસે સરફરાઝ ભીલની ધરપકડ કરી, જેણે રૂપિયા લઈને દાખલા બનાવવાની કબૂલાત કરી છે. આ કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.