પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, લાશ મળી
પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, લાશ મળી
Published on: 17th August, 2026

દેહગામમાં પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટતા એક યુવકનું અપહરણ કરી તેને નર્મદા કેનાલમાં ફેંકી દેવાની ઘટના બની. આ ઘટનામાં ધોળા દિવસે ચાર શખ્સોએ ભરત ઠાકોર નામના યુવકનું અપહરણ કર્યું. અપહરણ બાદ યુવકને અપ્રુજી નર્મદા કેનાલમાં ફેંકી દેવાતા ભારે ચકચાર મચી. બીજા દિવસે યુવકની કેનાલમાંથી લાશ મળી આવતા પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.