જામનગરના મુંગણી ગામે પાણીના વિવાદમાં દલિત શ્રમિક પર પટ્ટાથી હુમલો
જામનગરના મુંગણી ગામે પાણીના વિવાદમાં દલિત શ્રમિક પર પટ્ટાથી હુમલો
Published on: 24th August, 2026

જામનગર તાલુકાના મુંગણી ગામે પાણીની તંગી મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક દલિત શ્રમિક પર જાતિગત અપમાનજનક શબ્દો બોલી પટ્ટાથી માર માર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. સિક્કા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવા પ્લોટ વિસ્તારના રહેવાસી દેવજીભાઈ પરમારની ફરિયાદ મુજબ, દીપકસિંહ કંચવા નામના શખ્સે પાણીના ટાંકા પાસે બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા અને પેન્ટના પટ્ટાથી માર માર્યો, જેનાથી તેમને ઇજા થઈ. આ ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.