મકાનમાં શોર્ટ સર્કિટથી આગ; રોકડા દોઢ લાખ અને દાગીના બળીને ખાખ
મકાનમાં શોર્ટ સર્કિટથી આગ; રોકડા દોઢ લાખ અને દાગીના બળીને ખાખ
Published on: 03rd August, 2026

જામનગર શહેરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગતાં દોઢ લાખની રોકડ રકમ, બે લાખના દાગીના અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી આગ એક રૂમ સુધી સીમિત રહી અને મોટી દુર્ઘટના ટળી. આગ લાગતાં મકાન માલિક મહેશભાઈ પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગે અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.