સલમાન ખાન ફાયરિંગ કેસ: ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ સરેન્ડર કરવા તૈયાર!
સલમાન ખાનના ગેલેક્સી ઍપાર્ટમેન્ટ પર થયેલા ફાયરિંગ કેસમાં ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં સરેન્ડર કરવા માટે અરજી કરી છે. દિલ્હીની તિહાર જેલમાં બંધ અનમોલ, નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં આ કાર્યવાહી કરવા માંગે છે. અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ NIA દ્વારા ધરપકડ કરાયેલા અનમોલ સામે આ ફાયરિંગ કેસ સહિત અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. તેણે કોર્ટને તિહાર જેલને પ્રોડક્શન વોરંટ જારી કરવા વિનંતી કરી છે.
સલમાન ખાન ફાયરિંગ કેસ: ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ સરેન્ડર કરવા તૈયાર!
સગીરા પર દુષ્કર્મ કરનાર સાવકા પિતાને 20 વર્ષ જેલ
અમદાવાદના ખોખરામાં, 11 વર્ષની સગીર સાવકી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર અને તેને ગર્ભવતી બનાવનાર સાવકા પિતાને POCSO કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે ₹4,50,000 વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. મહત્વનું અવલોકન એ છે કે સામાજિક દબાણ કે આર્થિક નિર્ભરતાને કારણે સાક્ષીઓ ફરી જાય (હોસ્ટાઇલ થાય) તો પણ વૈજ્ઞાનિક પુરાવા, જેમ કે DNA અને FSL રિપોર્ટ, ગુનાહિતતા સાબિત કરવા માટે સર્વોપરી ગણાય છે. આ કેસમાં માતા અને પીડિતા પોતાના નિવેદનથી ફરી ગયા હતા, પરંતુ DNA પુરાવાએ આરોપીની પોલ ખોલી દીધી.
સગીરા પર દુષ્કર્મ કરનાર સાવકા પિતાને 20 વર્ષ જેલ
અમદાવાદ કાલુપુર ₹1.44 કરોડ નકલી નોટો કેસ
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી ₹1.44 કરોડની નકલી ચલણી નોટો સાથે પકડાયેલા બે આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે. પોલીસ તપાસમાં ગંભીર ક્ષતિઓ, સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને પુરાવાના અભાવને કારણે સરકાર પક્ષ આરોપીઓ વિરુદ્ધનો ગુનો સાબિત કરી શક્યો નથી. પોલીસે આરોપી વિકાસ નરેન્દ્ર શર્મા પાસેથી 2000 રૂપિયાની 7,240 નકલી નોટો કબજે કરી હતી, જેની કુલ કિંમત ₹1,44,80,000 થતી હતી. જોકે, પંચનામામાં અને સાક્ષીઓના નિવેદનોમાં થયેલ વિસંગતતા અને પુરાવાના અભાવે કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્યા છે.
અમદાવાદ કાલુપુર ₹1.44 કરોડ નકલી નોટો કેસ
WhatsApp બાદ હવે Instagram પર યૌન શોષણ જાહેરાતો અંગે સમન્સની તૈયારી
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક કંપની મેટા ફરી વિવાદમાં આવી છે. વોટ્સએપના નવા 'યુઝરનેમ' ફીચર પર રોક બાદ હવે કેન્દ્ર સરકારે ઈન્સ્ટાગ્રામ પર બાળકો સાથે જોડાયેલી વાંધાજનક જાહેરાતોને લઈને કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મેટાને નોટિસ સમાન સ્પષ્ટતા માંગતા પૂછ્યું છે કે આવી જાહેરાતો કેમ દેખાઈ અને તેને રોકવા માટે કંપનીએ કયા પગલાં લીધા છે. સરકાર આ મામલાને ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી કરી રહી છે.
WhatsApp બાદ હવે Instagram પર યૌન શોષણ જાહેરાતો અંગે સમન્સની તૈયારી
ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલ પ્રમોશન?
ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર Child Abuse Material (CSAM) ને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો ચાલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. "Rape Video" અને "Child Video" જેવી વાંધાજનક જાહેરાતો દ્વારા યુઝર્સને Telegram ચેનલો પર રીડાયરેક્ટ કરવામાં આવતા હતા, જ્યાં આ કન્ટેન્ટ નજીવી કિંમતે વેચાઈ રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામના "કમ્યુનિટી ગાઇડલાઇન્સ" નું ઉલ્લંઘન નથી કરતી તેવા દાવાએ તેની મોડરેશન ટેકનોલોજી પર પ્રશ્નો ઊભા કર્યા છે. Meta એ કેટલીક જાહેરાતો ડિસેબલ કરી અને એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલ પ્રમોશન?
ચાલતી ઈ-રિક્ષા બંધ કરી દેતી ચાઈનીઝ એપ વિરુદ્ધ સરકારની કાર્યવાહી!
કેન્દ્ર સરકારે દેશમાં ઇ-રિક્ષા ચાલકો અને નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સડક પર દોડતી ઇ-રિક્ષાને દૂરથી બંધ કરી શકતી વિવાદાસ્પદ ચાઇનીઝ એપ્લિકેશન 'BAT BMS' પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IT મંત્રાલયે ગૂગલ અને એપલને તેમના પ્લેટફોર્મ પરથી આ એપ તાત્કાલિક હટાવવા નિર્દેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સરકારે આ પગલું ભર્યું છે.
ચાલતી ઈ-રિક્ષા બંધ કરી દેતી ચાઈનીઝ એપ વિરુદ્ધ સરકારની કાર્યવાહી!
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા!
દેશની સુરક્ષાને જોખમમાં મૂકતા એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા 8 આતંકીઓને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યા છે. આ આતંકીઓ ગુજરાતમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાના ઇરાદાથી સક્રિય હતા. તેમને ગુપ્ત માહિતીના આધારે અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પકડવામાં આવ્યા છે. આ ઘટના બાદ બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા!
મેઘાલય હનીમૂન મર્ડર કેસ: સોનમ રઘુવંશી જેલ બહાર રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
મેઘાલયના હનીમૂન મર્ડર કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશી હાલ જેલની બહાર જ રહેશે. સુપ્રીમ કોર્ટે મેઘાલય હાઈકોર્ટ દ્વારા સોનમને આપવામાં આવેલા જામીન ઓર્ડરમાં તાત્કાલિક દખલ કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, મેઘાલય પોલીસની અરજી પર સુનાવણી સ્વીકારી સોનમને નોટિસ પાઠવી છે. અદાલતે આરોપોને "ખૂબ જ ગંભીર" ગણાવ્યા છે અને આગામી ગુરુવારે વિગતવાર સુનાવણી હાથ ધરશે. સોનમ પર પતિ રાજા રઘુવંશીની આર્થિક લાભ માટે ભાડૂતી હત્યારાઓ દ્વારા હત્યા કરાવવાનો આરોપ છે.
મેઘાલય હનીમૂન મર્ડર કેસ: સોનમ રઘુવંશી જેલ બહાર રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
રામ મંદિર દાન ચોરી: 'ભાગ બટાઈ'નો ખુલાસો, ટિન્નુ યાદવ મુખ્ય ખેલાડી
રામ મંદિરના દાન ચોરી કેસમાં નવી કડીઓ સામે આવી છે, જેમાં 'ભાગ બટાઈ' અને મુખ્ય આરોપી ટિન્નુ યાદવની ભૂમિકા સ્પષ્ટ થઈ રહી છે. SITની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, દાનની રકમની વહેંચણી માટે આરોપીઓ વચ્ચે વોટ્સએપ પર ચેટ થતી હતી. આ ઉપરાંત, વ્હીલચેર ચાલકો પાસે પણ મોટી સંપત્તિ હોવાનું જણાયું છે, જેના કારણે તેમની તપાસ પણ શરૂ થઈ રહી છે.
રામ મંદિર દાન ચોરી: 'ભાગ બટાઈ'નો ખુલાસો, ટિન્નુ યાદવ મુખ્ય ખેલાડી
વડોદરામાં એક મહિનામાં ઓવરસ્પીડ વાહનચાલકો પર રૂ.42.86 લાખનો દંડ
વડોદરામાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ જવાબદાર બેફામ વાહન ડ્રાઇવિંગ સામે પોલીસની સ્પીડગન કાર્યવાહીના આંકડા ચોંકાવનારા છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં ઓવરસ્પીડ વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે કુલ 1,890 વાહન ચાલકોને 42.86 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ 1,853 કેસ કાર ચાલકોના હતા, જેમને 41.44 લાખનો દંડ થયો. જ્યારે અન્ય 33 વાહન ચાલકો પર 1.36 લાખનો દંડ કરાયો. કુલ કેસમાંથી 1,138 કેસ હાઇવે પર નોંધાયા હતા, જે રસ્તા પર ઝડપના ગંભીર પ્રશ્નને દર્શાવે છે.
વડોદરામાં એક મહિનામાં ઓવરસ્પીડ વાહનચાલકો પર રૂ.42.86 લાખનો દંડ
સુઝેન ખાને ઋત્વિક રોશન પાસે 400 કરોડની એલિમની માંગી?
બોલિવૂડ પોપ્યુલર કપલ ઋતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા સમયે થયેલા 400 કરોડની એલિમનીની અફવાઓ પર સુઝેનની બહેન ફરાહ અલીએ મોટો ખુલાસો કર્યો છે. ફરાહે સ્પષ્ટ કર્યું છે કે સુઝેને ઋતિક પાસેથી ક્યારેય 400 કરોડ રૂપિયાની એલિમની માંગી નથી અને તે 'ગોલ્ડ ડિગર' નથી. ફરાહે ઉમેર્યું કે સુઝેન એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે અને ભૌતિક વસ્તુઓ કરતાં સંબંધોને વધુ મહત્વ આપે છે. આ કારણે તેણે છૂટાછેડામાં કશું લીધું નથી.
સુઝેન ખાને ઋત્વિક રોશન પાસે 400 કરોડની એલિમની માંગી?
મિડલ ફિંગર બતાવી સિયાએ કેમેરા સામે કર્યો ઇશારો!
ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી સિયા ગોયલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોલીસ તપાસ માટે લઈ જતી વખતે મીડિયા કેમેરા સામે મિડલ ફિંગર બતાવતી જોવા મળે છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સિયા અને ચેતને લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારવાની ઘટનાનું અગાઉથી રિહર્સલ કર્યું હતું. કેસની વધુ સત્યતા બહાર લાવવા માટે પોલીસે બંને આરોપીઓના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી મેળવવા કોર્ટમાં અરજી કરી છે.
મિડલ ફિંગર બતાવી સિયાએ કેમેરા સામે કર્યો ઇશારો!
અમદાવાદના ઘાટલોડિયાના સતાધાર બ્રિજ નીચે પાર્કિંગમાંથી બાઈક ચોરી
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા સતાધાર બ્રિજ નીચેના જાહેર પાર્કિંગમાંથી ધોળા દહાડે વધુ એક બાઈકની ચોરી થઈ છે. બેન્કમાં કામ કરતા એક યુવકનું પાર્ક કરેલું બાઈક કોઈ અજાણ્યો શખસ ઉઠાવી ગયો, જેના કારણે જાહેર પાર્કિંગની સુરક્ષા પર પણ સવાલો ઊભા થયા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બાઈક ચોરી કરનાર શખસ CCTV કેમેરામાં કેદ થયો છે.
અમદાવાદના ઘાટલોડિયાના સતાધાર બ્રિજ નીચે પાર્કિંગમાંથી બાઈક ચોરી
તારક મહેતા અભિનેત્રી સિમ્પલ કૌલનું નિવેદન: 'પતિ કિસિંગ સીન કરે તો વાંધો નથી, પણ અફેર નહીં'
TV એક્ટ્રેસ સિમ્પલ કૌલે ફિલ્મો અને શૉઝમાં ઇન્ટિમેટ સીન્સ અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. તેમનું કહેવું છે કે આ કલાકારના કામનો ભાગ છે અને તેને અંગત જીવન સાથે ન જોડવું જોઈએ. જો તેમના પતિ પણ પ્રોફેશનલ સ્તરે આવો સીન કરે તો તેમને કોઈ વાંધો નથી, કારણ કે તે માત્ર તેમનું કામ છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ઓનસ્ક્રીન રોમાન્સ અને રિયલ લાઇફના સંબંધો વચ્ચે તફાવત છે. સંબંધોમાં વફાદારી સૌથી મહત્વની છે અને કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત સ્વીકાર્ય નથી.
તારક મહેતા અભિનેત્રી સિમ્પલ કૌલનું નિવેદન: 'પતિ કિસિંગ સીન કરે તો વાંધો નથી, પણ અફેર નહીં'
એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચ પર લગ્ન પ્રસ્તાવ: રશિયન કપલની ધરપકડ.
ન્યૂયોર્ક શહેરમાં એન્જેલા નિકોલાઉ અને ઇવાન કુઝનેત્સોવ નામના રશિયન ‘રૂફટોપર્સ’એ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની 1454 ફૂટ ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ ખતરનાક સ્ટન્ટ બાદ બંનેની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી. તેમના પર ગેરકાયદેસર પ્રવેશ, જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવો, અને તોડફોડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારી કસ્ટડીમાં લીધા.
એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચ પર લગ્ન પ્રસ્તાવ: રશિયન કપલની ધરપકડ.
વડોદરાના ગોત્રીમાં ફ્લેટમાં મોડી રાત્રે ફાયરિંગ!
વડોદરાના ગોત્રી વિસ્તારમાં 'એરીના-48' ફ્લેટમાં અજાણ્યા શખસો દ્વારા મોડી રાત્રે ફાયરિંગની ચોંકાવનારી ઘટના બની છે. બાલ્કનીનો કાચ તોડીને ગોળી સીધી ફ્લેટ નંબર 201ના ડ્રોઇંગ રૂમમાં ઘૂસી જતાં સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. અચાનક થયેલા ફાયરિંગ અને કાચ તૂટવાના અવાજથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. વડોદરા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ડ્રોઇંગ રૂમમાંથી ગોળીના અવશેષો સહિતના પુરાવા એકત્ર કરીને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
વડોદરાના ગોત્રીમાં ફ્લેટમાં મોડી રાત્રે ફાયરિંગ!
૭૮ વર્ષીય અભિનેતા અશોક સરાફ, પત્ની સાથે ફરી બંધાયા લગ્નના તાંતણે.
મરાઠી અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અશોક સરાફે પોતાની પત્ની નિવેદિતા સાથે લગ્નની ૩૭મી વર્ષગાંઠ નિમિત્તે ફરી એકવાર સાત ફેરા લીધા છે. ૭૮ વર્ષની વયે પણ આ કપલનો અનોખો પ્રેમ અને વર-વધૂ જેવો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ ૧૯૯૦માં ગોવાના 'મંગેશી મંદિર'માં લગ્ન કર્યા હતા. ઉંમરમાં ૧૮ વર્ષનો તફાવત હોવા છતાં, તેમનો પ્રેમ, વિશ્વાસ અને સન્માન અજોડ છે. અશોકે નિવેદિતા માટે પ્રેમભર્યો સંદેશ લખી, તેમને પોતાની શ્રેષ્ઠ મિત્ર અને તાકાત ગણાવી.
૭૮ વર્ષીય અભિનેતા અશોક સરાફ, પત્ની સાથે ફરી બંધાયા લગ્નના તાંતણે.
અમદાવાદના વાંચ ગામ નજીક ગેસ એજન્સી કર્મચારી પર હુમલો
અમદાવાદના વાંચ ગામ પાસે સવારે ગેસ એજન્સીના કર્મચારી પર બાઈક અને મોપેડ પર આવેલા ચાર અજાણ્યા લૂંટારુઓએ હુમલો કર્યો. તેઓ મોટી રકમ લૂંટવા આવ્યા હતા, પરંતુ કર્મચારીના પ્રતિકારથી તેઓ નિષ્ફળ ગયા. જોકે, ભાગતા સમયે તેમણે કર્મચારીના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે LG હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વિવેકાનંદ નગર પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વાંચ ગામ નજીક ગેસ એજન્સી કર્મચારી પર હુમલો
11 વર્ષના છોકરાએ તીર્થયાત્રીઓ પર ટ્રક ફેરવી નાખી!
થાઈલેન્ડમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એક ૧૧ વર્ષના બાળક દ્વારા ચલાવવામાં આવી રહેલી પીકઅપ ટ્રકને કારણે થઈ છે. આ બેકાબૂ ટ્રકે ધાર્મિક પદયાત્રા પર નીકળેલા બૌદ્ધ સાધુઓના સમૂહને અડફેટે લીધો હતો. મુકદહન પ્રાંતમાંથી નીકળેલી આ પદયાત્રા શરૂ થયાના ૩૦ મિનિટમાં જ આ દુર્ઘટના બની. ૫ ભિક્ષુકોના ઘટનાસ્થળે અને ૩ના હોસ્પિટલમાં મોત થયા, જ્યારે ૧૪ ઘાયલ થયા છે. પોલીસ ૧૧ વર્ષના સગીર ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે.
11 વર્ષના છોકરાએ તીર્થયાત્રીઓ પર ટ્રક ફેરવી નાખી!
નાગરિકોનો અધિકાર: વિરોધ કરવો એ ગુનો નથી, હાઈકોર્ટનો પોલીસને સ્પષ્ટ નિર્દેશ
બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજકીય કાર્યકર્તાના તડીપાર (જિલ્લાબદલી)ના આદેશને રદ કર્યો છે. કોર્ટે ટિપ્પણી કરી કે નાગરિકો સાથે 'ભારત સરકારના ગુલામો' જેવો વ્યવહાર ન કરી શકાય. જસ્ટિસ માધવ જામદારની બેન્ચે CAA અને જ્ઞાનવાપી મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કરવા બદલ નોંધાયેલી FIRના આધારે કરાયેલી કાર્યવાહી સામે આ ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે 'ભાજપ સરકાર મુર્દાબાદ' જેવા નારા લગાવવા એ નાગરિકોનો અધિકાર છે અને આ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ તડીપાર કરવાનો આધાર બની શકે નહીં.
નાગરિકોનો અધિકાર: વિરોધ કરવો એ ગુનો નથી, હાઈકોર્ટનો પોલીસને સ્પષ્ટ નિર્દેશ
ISRO મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. બેંગલુરુ સ્થિત ISRO મુખ્યાલયને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસ, ડોગ સ્ક્વોડ અને BDDS ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે, સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અને આ ધમકી ફેક હોવાનું જણાયું છે. ઈમેલ મોકલનારની ઓળખ માટે તપાસ ચાલુ છે, અને સુરક્ષા એજન્સીઓએ ISRO અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે.
ISRO મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!
સિયા-ચેતને કેતનને ધક્કો મારવાની પ્રેક્ટિસ પુણેમાં કરી હતી
પુણેમાં બાંધકામ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા કેસમાં, આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ કેતનને ખીણમાં ધકેલી દેવાની પ્રેક્ટિસ મે મહિનામાં કરી હતી. પોલીસ સિયાને તે જગ્યાએ લઈ ગઈ હતી. પુણે પોલીસે સિયા અને ચેતન ચૌધરીના પોલીગ્રાફ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરી છે. આ પ્રેક્ટિસ લુલ્લાનગર વિસ્તારમાં એક ક્લબ પાસે ખુલ્લી જગ્યામાં કરાઈ હતી. પોલીસ કાવતરામાં અન્ય કોઈની સંડોવણીની પણ તપાસ કરી રહી છે, જેમાં ગોયલ પરિવાર અને મિત્તલ દંપતીની પૂછપરછ કરાઈ છે.
સિયા-ચેતને કેતનને ધક્કો મારવાની પ્રેક્ટિસ પુણેમાં કરી હતી
ગોઢાણીયા સ્કૂલમાં ગાંઠિયા મુદ્દે ધોરણ 5ના વિદ્યાર્થી પર ગળું દબાવી હત્યાનો પ્રયાસ
પોરબંદરની ગોઢાણીયા સ્કૂલમાં સ્કૂલ બસમાં ગાંઠિયા ઉડાડવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ અન્ય વિદ્યાર્થીએ ધોરણ 5ના 10 વર્ષના માસૂમ બાળકનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલ સંકુલ ખાતે એકઠા થઈ ટ્રસ્ટીઓને રજૂઆત કરી. વાલીઓએ આવા તત્વોને તાત્કાલિક સ્કૂલમાંથી હાંકી કાઢવાની માંગ કરી, અને જણાવ્યું કે અગાઉ પણ આવા વિદ્યાર્થીઓ દ્વારા હિંસક પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. સ્કૂલ ટ્રસ્ટી વિરમભાઈ ગોઢાણીયાએ તપાસ અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
ગોઢાણીયા સ્કૂલમાં ગાંઠિયા મુદ્દે ધોરણ 5ના વિદ્યાર્થી પર ગળું દબાવી હત્યાનો પ્રયાસ
જૂનાગઢ જોષીપરાના રહીશે 1.12 લાખનો ગાંજો પોસ્ટથી મંગાવ્યો
ઓડિસાથી પોસ્ટ મારફતે 1.12 લાખ રૂપિયાનો ગાંજો મંગાવનાર જોષીપરાના અકરમ નામના શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસેથી ગાંજો, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ 1,62,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે આ ગાંજાનો જથ્થો તેણે ઓડિસાના ઉપેન્દ્ર સાહુ પાસેથી પોસ્ટ દ્વારા મંગાવ્યો હતો. પોલીસે ઉપેન્દ્ર સાહુને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ જથ્થા પર ડ્રાયફ્રૂટનું લેબલ લગાવી પોલીસને છેતરવાનો પ્રયાસ કરાયો હતો.
જૂનાગઢ જોષીપરાના રહીશે 1.12 લાખનો ગાંજો પોસ્ટથી મંગાવ્યો
જૂનાગઢમાં વ્યાજખોર ત્રિપુટીની ધરપકડ
જૂનાગઢ શહેરના એક વેપારી પાસેથી 21 લાખના 35 લાખ વ્યાજ વસૂલી મકાનનો ભાડા કરાર કરાવી ધમકી આપનાર વ્યાજખોર ત્રિપુટીને પોલીસે ઝડપી લીધી છે. વેપારી જીતુભાઈ મંગાભાઈ ગોહેલે ધંધા માટે 7 લાખ અને 14 લાખ એમ કુલ 21 લાખ રૂપિયા બે અલગ-અલગ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ કુલ 35 લાખ રૂપિયા વ્યાજ પેટે વસૂલી લીધા હતા અને વેપારીના 7 બેંક ચેક પણ મેળવી લીધા હતા. આ ઉપરાંત, વેપારી પાસેથી તેના મકાનને 11 મહિના માટે 4.25 લાખ ડિપોઝિટ પર ભાડે આપવાનો કરાર પણ બળજબરીપૂર્વક કરાવી લીધો હતો.
જૂનાગઢમાં વ્યાજખોર ત્રિપુટીની ધરપકડ
જૂનાગઢ જિલ્લામાં સસ્તા અનાજની 122 દુકાનો પર નિયમોના ભંગ બદલ દંડ
જૂનાગઢ જિલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં નિયમોનું પાલન ન થવા બદલ તંત્ર દ્વારા કુલ 122 દુકાનો પર દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની છે. જિલ્લા પુરવઠા અધિકારી કે.બી. ગરસરે જણાવ્યું કે, ટીમો દ્વારા નિયમિત ચકાસણી દરમિયાન જણસીના નમુના ન રાખવા, બોર્ડ ન મારવું, સફાઈનો અભાવ અને રજીસ્ટરની જાળવણીમાં ક્ષતિઓ જેવી ફરિયાદો મળી હતી. આ ઉપરાંત, માંગરોળ તાલુકામાં સૌથી વધુ 33 દુકાનો પર દંડ ફટકારાયો છે. ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે કડક સૂચના અપાઈ છે.
જૂનાગઢ જિલ્લામાં સસ્તા અનાજની 122 દુકાનો પર નિયમોના ભંગ બદલ દંડ
રોયલ્ટી વગર 22 મેટ્રીક ટન રેતી લઈ જતું ડમ્પર જૂનાગઢમાંથી ઝડપાયું
જૂનાગઢ શહેરમાં રાત્રિના સમયે એસડીએમની ટીમ દ્વારા રોયલ્ટી ભર્યા વિના 22 મેટ્રીક ટન રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું. ઇન્ચાર્જ એસડીએમ નિકુંજ ધુળાના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા ડમ્પરની તપાસ કરતાં રોયલ્ટી ભર્યા વિના રેતીનું બિનઅધિકૃત પરિવહન થતું હોવાનું જણાયું. કુલ 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડમ્પરને 30 દિવસ માટે કસ્ટડીમાં રાખવામાં આવશે.
રોયલ્ટી વગર 22 મેટ્રીક ટન રેતી લઈ જતું ડમ્પર જૂનાગઢમાંથી ઝડપાયું
ઝાલાવાડમાં વીજચોરી: 10,276 કનેક્શનમાંથી 3,797.86 લાખનો દંડ
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજલોસ ઘટાડવા માટે ઝુંબેશ હાથ ધરાઈ. છેલ્લા એક વર્ષમાં 10,276 વીજ કનેક્શનોમાં વીજચોરી ઝડપી, જેમાં ઘર વપરાશ, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી હેતુના કનેક્શનોનો સમાવેશ થાય છે. કુલ રૂપિયા 3,797.86 લાખનો દંડ ફટકારાયો. આ કાર્યવાહીથી વીજલોસમાં લગભગ પાંચ ટકા જેટલો ઘટાડો થયો છે. માર્ચ 2024માં 23.09% હતો તે ઘટીને 18.42% થયો. ગ્રાહકોને વીજ વપરાશ જાહેર કરવા અપીલ કરાઈ જેથી વોલ્ટેજ સમસ્યાઓ ઉકેલી શકાય.
ઝાલાવાડમાં વીજચોરી: 10,276 કનેક્શનમાંથી 3,797.86 લાખનો દંડ
પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામની સીમમાં ખારી નદીના કોતરોમાંથી દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરાયેલો અંદાજે 4,200 લીટર વોશ કબજે કર્યો છે, જેની કિંમત રૂ. 1.05 લાખ આંકવામાં આવી છે. જોકે, ઘટના સ્થળેથી કોઈ આરોપી પકડાયો ન હતો. પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. ASI મનિષકુમાર અને અ.હે.કો. વિક્રમસિંહને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
હિંમતનગરના વેપાર ભવનમાં કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી
હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેપાર ભવનની કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી અંદાજે રૂ.1.50 લાખની રોકડની ચોરી થઈ હતી. આ ઘટના અંગે ઝાકીરહસેન અબ્દુરરહમાન કાબલીવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાંદનગરમાં રહેતા શકીલશા રફીકશા દિવાને તારીખ 30 જૂનની રાત્રે તેમની દુકાનમાં પ્રવેશ કરી ઓફિસના ડ્રોવરનું તાળું તોડી ચોરી કરી હતી. આ ચોરી અંગે ઝાકીરહુસેન કાબલીવાલાએ શકીલશા દિવાન વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરના વેપાર ભવનમાં કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી
હિંમતનગરની તલોદ-પ્રાંતિજ પોલીસ દ્વારા રૂ. 2.10 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો
સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ હેઠળ, તલોદ અને પ્રાંતિજ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા રૂ. 2.10 કરોડથી વધુના વિદેશી દારૂનો કોર્ટના આદેશ બાદ નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં કુલ 62,804 બોટલોનો સમાવેશ થાય છે, જેમાંથી તલોદ પોલીસ સ્ટેશનના 18 ગુનાઓની 8288 બોટલો અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના 24 ગુનાઓની 54,516 બોટલોનો નાશ કરાયો. નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં ઉમેદની મુવાડી ગામ ખાતે આ નાશની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.